Devotional

સેવા સેતુ અને સ્વચ્છતા અભિયાન સંદર્ભે જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાઈ

અંબાજી, સંજીવ રાજપૂત: રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ લોકોને સતત મળતો રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન અને સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ અંતર્ગત બનાસકાંઠા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાઈ હતી.

આ મિટિંગમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા રાજ્ય સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભો લોકોને સ્થળ ઉપર જ મળી રહે તે માટે સુચારૂ આયોજન કરવા અધિકારીઓને સૂચન કરવામાં આવ્યું હતું.

સેવા સેતુના દસમાં તબક્કામાં બનાસકાંઠા જિલ્લામાં ૧૪ તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારના પ્રજાજનોને વ્યક્તિગત સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે અને તે જ દિવસે પ્રાપ્ત થઇ શકે તેવા ઉમદા હેતુથી આયોજન કરવામાં આવશે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અંતર્ગત ૧૭ સપ્ટેમ્બર થી ૨જી ઓકટોબર સુધી બનાસકાંઠા જિલ્લામાં સ્વચ્છતા અંગેના જનભાગીદારી સાથે વિવિધ કાર્યક્મોનું આયોજન કરવામાં આવશે. સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના સફાઈ કર્મીઓનું સન્માન કરવામાં આવશે.

૧૭ મી તારીખે અંબાજી ખાતે સ્વચ્છતા માટે મહા અભિયાન યોજાશે. સફાઈકર્મીઓ માટે મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવશે. જિલ્લાની વિવિધ નગરપાલિકાઓ સ્વચ્છતાની કામગીરીમાં જોડાશે. વહીવટી તંત્રની સાથે પ્રજાજનો અને જનપ્રતિનિધિઓ પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાવા માટે કલેકટરએ અનુરોધ કર્યો હતો.

આ મિટિંગમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે દવે, નિયામક ગ્રામવિકાસ એજન્સી આર. આઈ. શેખ, પ્રાંત અધિકારીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫માં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રારંભ

અંબાજી, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં અંબાજી…

प्रयागराज कुम्भ में साड़ी कल्चर इंडिया ग्रुप की कुछ महिलाओं ने गंगा में त्रिवेणी संगम पर स्नान किया.

साड़ी कल्चर इंडिया और अखिल भारतीय ब्राह्मण महासभा (रजि )कार्यकारिणी महिला…

ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે સરકારનો સકારાત્મક નિર્ણય

ગુજરાતથી દરરોજ એસી વોલ્વો બસ પ્રયાગરાજ ઉપડશે ગાંધીનગર, સંજીવ રાજપૂત: હિન્દુ…

પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫’નું ભવ્ય આયોજન કરાશે

અંબાજી, સંજીવ રાજપૂત: ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી…

શક્તિપીઠ અંબાજી ખાતે જગદંબાના પ્રાગટ્ય દિન પોષી પૂનમની શ્રધ્ધાભેર ઉજવણી: મોટી સંખ્યામાં માઇભક્તો ઉમટ્યા

અંબાજી, સંજીવ રાજપૂત: શક્તિપીઠ અંબાજી વિશ્વભરના શક્તિ ઉપાસકોની આસ્થાનું કેન્દ્ર…

1 of 17

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *