રાધનપુર. એ.આર. એબીએનએસ: રાધનપુર તાલુકાની સુલતાનપુરા જૂથ ગ્રામ પંચાયતમાં ત્રીજી વખત સરપંચ બિનહરીફ જાહેર થયા છે. ગામના ઠાકોર મનુભાઈ અમરતભાઈને ગ્રામજનોએ એકમતથી બિન હરીફ સરપંચ તરીકે પસંદ કર્યો છે.
સુલતાનપુરા અને ઓધવનગરના ગ્રામજનોએ ગામમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે હેતુથી સરપંચપદ માટે સર્વેનું મતે ઉમેદવાર જાહેર કર્યો હતો. શુક્રવારે બંને ગામના લોકો એકઠા થયા હતા. ચર્ચા-વિચારણા બાદ મનુભાઈને સમરસતા હેઠળ બિન હરીફ જાહેર કરવામાં આવ્યા. આ અગાઉની ટર્મમાં પણ સરપંચ બિન હરીફ જાહેર થયા હતા. ત્યારબાદ ઓધવનગરના યુવાને ફોર્મ ભર્યું હતું.
પરંતુ ગ્રામજનોએ મોટી લીડથી તેને હરાવ્યો હતો. આ વખતે પણ ગામના લોકોએ સમરસતા જાળવી રાખી મનુભાઈને 500ની નોટનો હાર પહેરાવીને સન્માનિત કર્યા હતા.