Election

રાધનપુરના સુલતાનપુરા જૂથ ગ્રામ પંચાયતમાં ત્રીજી વખત સરપંચ બિનહરીફ જાહેર થયા..

રાધનપુર. એ.આર. એબીએનએસ: રાધનપુર તાલુકાની સુલતાનપુરા જૂથ ગ્રામ પંચાયતમાં ત્રીજી વખત સરપંચ બિનહરીફ જાહેર થયા છે. ગામના ઠાકોર મનુભાઈ અમરતભાઈને ગ્રામજનોએ એકમતથી બિન હરીફ સરપંચ તરીકે પસંદ કર્યો છે.

સુલતાનપુરા અને ઓધવનગરના ગ્રામજનોએ ગામમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે હેતુથી સરપંચપદ માટે સર્વેનું મતે ઉમેદવાર જાહેર કર્યો હતો. શુક્રવારે બંને ગામના લોકો એકઠા થયા હતા. ચર્ચા-વિચારણા બાદ મનુભાઈને સમરસતા હેઠળ બિન હરીફ જાહેર કરવામાં આવ્યા. આ અગાઉની ટર્મમાં પણ સરપંચ બિન હરીફ જાહેર થયા હતા. ત્યારબાદ ઓધવનગરના યુવાને ફોર્મ ભર્યું હતું.

પરંતુ ગ્રામજનોએ મોટી લીડથી તેને હરાવ્યો હતો. આ વખતે પણ ગામના લોકોએ સમરસતા જાળવી રાખી મનુભાઈને 500ની નોટનો હાર પહેરાવીને સન્માનિત કર્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાધનપુરના કલ્યાણપુરા ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં મહિલા ઉમેદવારે પરિવાર સાથે ભર્યું ફોર્મ…

રાધનપુર. એ.આર. એબીએનએસ : પાટણ જિલ્લામાં આગામી દિવસોમાં યોજાનાર ગ્રામ પંચાયતની…

ચૂંટણીની તકેદારીને લઈ જામનગર એસપી દ્વારા ધ્રોલના સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું

જામનગર, સંજીવ રાજપૂત: જામનગરના પંચ એ પોલીસ સ્ટેશન વિસ્તારની તાલુકા પંચાયતની પેટા…

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

1 of 5

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *