bhavnagarGujarat

તળાજા તાલુકાના માંડવા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું કુમ કુમ તિલક સાથે સ્વાગત

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા સરકારની તમામ જન કલ્યાણકારી યોજનાઓ ઘર-ઘર સુધી પહોંચી રહી છે.ત્યારે તળાજા તાલુકાના માંડવા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવતા લોકોએ ઉત્સાહ સાથે રથનો આવકાર કર્યો હતો.

આ કાર્યક્રમમાં શ્રી બીશ્વસ્વરૂપ દાસ,જોઈન્ટ એડવાઈસર, દિલ્હી સહિત પ્રાંત અધિકારી વિકાસ રાતડાએ સ્થળની ખાસ મુલાકાત લીધી હતી.

ગ્રામજનોએ સરકારની મહત્વપૂર્ણ યોજનાઓ વિશે વિકાસ રથના માધ્યમથી જાણકારી મેળવી હતી.વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે સૌ ગ્રામજનો સંકલ્પમાં સહભાગી થયા હતા.કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અનુસુચિત જાતિ કલ્યાણના નાયબ નિયામક દ્વારા તેમના પ્રાસંગિક ઉદ્બોધન થકી ગ્રામજનોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજના વિશે તથા યોજના અંતર્ગત મળતા ફાયદા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતાં. સાથોસાથ ગ્રામજનોને સરકારની યોજનાનો લાભ લેવા પ્રોત્સાહન આપ્યું હતું જે દ્વારા કોઈ પણ પાત્રતા ધરાવતા લોકો લાભ વગર ન રહી જાય.

આ કાર્યક્રમમાં નાયબ નિયામક અનુસુચિત જાતિ કલ્યાણ શ્રી કે.એફ. મકવાણા, મામલતદાર શ્રી નિલેશ પટેલ,તાલુકા વિકાસ અધિકારી ડી.ટી.લાડુમોર,સરપાંચશ્રી સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ ગામનાં વડીલો અને મોટી સંખ્યામાં ઞ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૦૯ કિ.રૂ.૨૭,૫૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

ભાવનગર જિલ્લાના પીંગળી ગામના ખેડૂત શ્રી નારશંગભાઈ મોરી પ્રાકૃતિક ખેતી અપનાવી અન્યો માટે બન્યાં પ્રેરણારૂપ

એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીંગળી…

સિહોર સામુહિક આરોગ્ય કેન્દ્ર ને સંસદ સભ્યશ્રી મનસુખભાઇ માંડવીયા દ્વારા એમ્બ્યુલન્સનું લોકાર્પણ

સિહોર સામુહિક આરોગ્ય કેન્દ્રને સંસદ સભ્યશ્રી સ્થાનિક વિકાસ વિસ્તાર યોજના એમ.પી.…

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ભાવનગર જિલ્લાની સંભવત: મુલાકાત સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઇ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તારીખ ૨૧મી જુલાઈનાં ગુરુપૂર્ણિમાના અવસરે…

1 of 49

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *