*સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુકત ગુજરાત’
બાળકોને યોગ, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર શીખવવામાં આવ્યા
મહેસાણા જિલ્લાનાં વિજાપુર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તા.16/05/2025થી 30/05/2025 સુધી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઊર્જાવાન ચેરમેન શ્રી શિશપાલજીના માર્ગદર્શન નીચે 7 વર્ષથી 15 વર્ષના બાળકો માટે નિશુલ્ક સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.. આ કેમ્પમાં બાળકો ખૂબ મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા હતાં.
આ સમર કેમ્પનું આયોજન ઝોન કો-ઓર્ડીનેટર અજીતભાઈ પટેલ તથા જિલ્લા કોર્ડીનેટર ગૌતમભાઈ પ્રજાપતિના દિશા નિર્દેશ નીચે કરવામાં આવી રહ્યું હતું.. આ સમર કેમ્પમાં વિજાપુર તાલુકાના યોગ કોચ યોગ શિક્ષક પટેલ દીપિકાબેન અરુણકુમાર તથા યોગ ટ્રેનર સ્વાતિબેન, જીનલબેન, સાવિત્રીબેન, મીનાક્ષીબેન, કુંદનબેન, પિન્કીબેન, જયંતીભાઈ, સુમનભાઈ સર્વે દ્વારા બાળકોને ખુબ સરસ રીતે યોગ, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર શીખવવામાં આવે છે તથા બાળકોને હેલ્ધી ખોરાક આપી સાથોસાથ સંસ્કારોનું સિંચન અને બધા સાથે હળી મળીને રહેવાનું પણ શીખવાડવામાં આવ્યું અને વિવિધ પ્રકારની અવનવી રમતો રમાડવામાં આવી.
આ કેમ્પમાં પ્રશિક્ષિત ટ્રેનર અને કોચ દ્વારા બાળકોને યોગ, પ્રાણાયામ અને કસરતથી જીવનમાં નિયમિતતા, શિસ્ત, શારીરિક તંદુરસ્તી અને એકાગ્રતા કઈ રીતે કેળવી શકાય તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું..
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને ‘મેદસ્વિતા મુક્ત બનાવવા આહવાન કર્યું છે ત્યારે ટ્રેનર્સ દ્વારા બાળકોને પૌષ્ટિક આહાર આરોગવાથી શરીર અને મનને થતાં ફાયદાઓ અંગેની વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી હતી.