Breaking NewsLatest

અંબાજીના મુન સ્પા ના પાટીયા ઉતરી ગયા…. આપણું અંબાજી જીતી ગયું!

અમિત પટેલ અંબાજી

અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું હોવાથી સરસ્વતી નગરી તરીકે ઓળખાય છે. અંબાજી ધામ મા ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવે છે અને દર્શનકરીને ધન્યતા અનુભવે છે. અંબાજી ધામને વિશ્વ પ્રસિદ્ધ બનાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અથાગ મહેનત કરી રહ્યા છે ત્યારે અંબાજી ખાતે છેલ્લાં કેટલાય દિવસથી અંબાજી ધામની સંસ્કૃતી બગાડવા માટે આબુરોડ નો માથાભારે વ્યકિત અંબાજી ખાતે મૂન સ્પા ખોલીને પોતાને કાયદાથી ઉપર ગણતો હતો જ્યારે આ બાબતે અંબાજી ના લોકોમાં ભારે રોષ વધવા લાગ્યો ત્યારે શ્રી આપણું અંબાજી ગ્રુપ મા લોકોએ પ્રતિભાવ આપ્યા ત્યારે આ મામલે ગ્રાહક સુરક્ષા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આજે આ માથાભારે અમરસિંહ એ પોતાની આબરૂ બચાવવા માટે મૂન સ્પા ના બોર્ડ ઉતાર્યા હતા.


અંબાજી ખાતે આવા બીભત્સ બોર્ડ કોઈએ લગાવ્યા નથી જેવા બીભત્સ બોર્ડ પરપ્રાંતીય અમરસિંહ અને તેના અંબાજીના કેટલાક પરદા પાછળ મદદ કરતા વિભીષણ દ્વારા લગાવવામાં આવ્યાં હતા. અંબાજી મા આવી બહારની ફાટેલી નોટોની દાદાગીરી બિલકુલ ચાલશે નહીં. અંબાજી ના લોકોની જાગૃતતા એ અંબાજી ધામ ની લાજ બચાવી છે. શ્રી આપણું અંબાજી આ બાબતે સજાગ છે અને રહેશે.

@@ અંબાજીના કેટલાક લોકો સ્પાવાળાને પરદા પાછળ મદદ કરતા હતા@@

અંબાજીના લોકો આવા સ્પા વાળાને મદદ કરતા હતા અને આવા ડબલ ઢોલકી વાળા ને ઓળખવાની જરૂર છે. અંબાજીમાં આવી બદીઓ ચાલશે નહીં

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

આયોજન મંડળની બેઠકમાં કચ્છ જિલ્લાના રૂ.૧૩૪૫ લાખના ૫૩૯ વિકાસ કામોને બહાલી અપાઇ…

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…

1 of 707

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *