Breaking NewsLatest

અંબાજી કુંભેશ્વર મહાદેવ ખાતે બરફના અમરનાથ બનાવવામાં આવ્યા

શક્તિપીઠ અંબાજી ગુજરાતનું લોકપ્રિય શક્તિપીઠ છે યાત્રાધામ અંબાજી ખાતે જગતજનની મા અંબાનુ ગોલ્ડન ટેમ્પલ આવેલું છે અંબાજી ખાતે માઅંબા ના ભક્તો દર્શન કરવા દૂર-દૂરથી આવી રહ્યા છે. અંબાજી ખાતે મા અંબાના મંદિર સિવાય વિવિધ ભગવાનના મંદિર આવેલા છે અંબાજી થી લગભગ દોઢ કિલોમીટર દૂર શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ મસ્તકનું પ્રાચીન અને પૌરાણિક કુંભેશ્વર મહાદેવ મંદિર આવેલું છે આ મંદિર ખાતે છેલ્લા 13 વર્ષથી કુંભેશ્વર યુવક મંડળ તરફથી મંદિરમાં સેવા આપવામાં આવે છે આજે શ્રાવણ માસના ચોથા સોમવારે બરફનો ઉપયોગ કરીને અમરનાથ બનાવવામાં આવ્યા હતા મોટી સંખ્યામાં શિવ ભક્તો દર્શન કરવા આવ્યા હતા.
અંબાજી થી દોઢ કિલોમીટર દૂર કુંભારિયા ગામ ખાતે પ્રાચીન અને પૌરાણિક કુંભેશ્વર મહાદેવ નું મંદિર આવેલું છે આ મંદિરનો વહીવટ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી કરવામાં આવે છે. 30 ઓગસ્ટના રોજ શ્રાવણ માસ નો ચોથો સોમવાર કોઈ શિવભક્તો અહીં દર્શન કરવા આવ્યા હતા આ મંદિર ખાતે કુંભેશ્વર યુવક મંડળ તરફથી છેલ્લા 13 વર્ષથી સેવા આપવામાં આવે છે . સોમવારના પવિત્ર દિવસે 1000 કિલો બરફ અને 2 કિલો ઘીના ઉપયોગથી બરફના અમરનાથ બનાવવામાં આવ્યા હતા ,મોટી સંખ્યામા શિવભકતો દર્શન કરવા આવ્યા હતા મંદિરને રંગબેરંગી ફૂલો અને લાઇટોથી શણગારવામાં આવ્યું હતું. દર્શન કરવા આવેલા ભક્તો માટે ફરાળી પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો.

રાજે શ્રી પી પૂજારી અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 746

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *