Breaking NewsLatest

અંબાજી ખાતે શીતળા સાતમ નિમિતે ભક્તો દર્શન કરવા આવ્યા

શક્તિપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું જગતજનની મા અંબાનું પવિત્ર અને પ્રાચીન યાત્રાધામ છે. આ ધામ મા માં અંબા નું વિશાળ મંદીર આવેલુ છે. અંબાજી ખાતે હાલમાં શ્રાવણ માસ હોઈ અહિ વિવિઘ શિવ મંદિરો પણ આવેલા છે ત્યારે શિવ ભક્તો મોટી સંખ્યામાં ભોલેનાથ ના દર્શન કરવા જઈ રહ્યા છે. આજે શીતળા સાતમ હોઇ વહેલી સવારથી વિવિઘ શીતળા માતાજીના મંદિર ખાતે લોકો માતાજીને ઠંડુ જમવાનું ધરાવવા ગયા હતા અને શીતળા માતાજીની આરાધના કરી હતી.
અંબાજી મંદિર ટ્રસ્ટ હસ્તકના શીતળા માતાજીનું મંદિર આબુરોડ માર્ગ પર આવેલું છે. આ મંદિર ખાતે આજે શીતળા માતાજીને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો અને મંદિરને રંગબેરગી ફુલો થી શણગારવામાં આવ્યું હતું. મંદિર ખાતે જયેશ ભાઈ દવે મહારાજ દ્વારા શીતળા સાતમ નિમિતે માતાજીની આરાધના કરવામાં આવી હતી અને ભકતોને આશિર્વાદ આપવામા આવ્યા હતા, આ વખતે કોરોનાને લીધે ભક્તો સોશિયલ ડિસ્ટન્સ સાથે દર્શન કરવા આવ્યા હતા અહી અગ્રવાલ સમાજ દ્વારા ભક્તો માટે પ્રસાદી આપવામાં આવી હતી

રાજેશ્રી પી પૂજારી અંબાજી

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) માં ગુજરાત પ્રદેશ સંગઠનનું પુનઃ નિર્માણ કરાશે

ગુજરાત પ્રદેશ પ્રભારી ધવલ માકડિયા દ્વારા 34 જિલ્લાના સંગઠન ઇન્ચાર્જ ની નિમણૂંક…

મોઢેરાના ઐતિહાસિક સૂર્યમંદિર ખાતે તા. ૧૭ અને ૧૮ જાન્યુઆરીએ દ્વિદિવસીય ‘ઉત્તરાર્ધ મહોત્સવ-૨૦૨૬’ યોજાશે

મહેસાણા, સંજીવ રાજપૂત: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને કમિશનર,…

1 of 742

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *