Breaking NewsLatest

અંબાજી મંદિર એકમ થી પાંચમ સુધી રાત્રે 11 વાગે સુધી ખુલ્લુ રહેશે

શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે હાલમાં દિવાળી પર્વ શરૂ થવાની તૈયારી પર છે,ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી પણ અંબાજી મંદિર દર્શન સમય વધારવામાં આવ્યો છે અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી અખબારી યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી.
અંબાજી મંદિર ગુજરાત નું સુપ્રસિદ્ધ યાત્રાધામ છે ત્યારે 5 નવેમ્બરના રોજ બેસતા વર્ષના દિવસે અંબાજી મંદિર ખાતે સવારે છ વાગ્યે મંગળા આરતી કરવામાં આવશે અને અંબાજી મંદિર રાત્રિના ૧૧ વાગ્યા સુધી ખુલ્લું રહેશે આ સમયગાળા દરમિયાન અંબાજી ખાતે મોટી સંખ્યામાં માઇ ભકતો આવતા હોય છે ત્યારે મંદિર ટ્રસ્ટ તરફથી દર્શન સમય વધારવામાં આવ્યો છે.

અંબાજી મંદિર દર્શન સમય

:- 5/11/2021 નો સમય :-

મંગળા આરતી સવારે – 6 થી 6:30
સવારે દર્શન – 6:30 થી 10:45

રાજભોગ બપોરે 12 થી 12:15

અન્નકુટ આરતી 12:15 થી 12:30

બપોરે દર્શન 12:30 થી 4:15

સાંજે આરતી 6:30 થી 7

સાંજે દર્શન 7 થી 11

:- 6/11 થી 9/11/2021 નો સમય :-

મંગળા આરતી સવારે – 6:30 થી 7
સવારે દર્શન – 7 થી 11:30

રાજભોગ બપોરે 12 વાગે

બપોરે દર્શન 12:30 થી 4:15

સાંજે આરતી 6:30 થી 7

સાંજે દર્શન 7 થી 11.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પત્રકારોની અવાજ દબાવવાનો પ્રયાસ પત્રકાર સંઘર્ષ સમિતિ ગુજરાત દ્વારા તંત્રને આવેદનપત્ર આપ્યું

વડોદરા, તા.૨૬/૦૮/૨૦૨૫ ગુજરાતમાં પત્રકારો સામે સતત ખોટી ફરિયાદો, દબાણ અને કાયદાનો…

1 of 735

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *