Breaking NewsLatest

અમદાવાદ ખાતે 71 કિલોની કેક કાપી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 71મા જન્મદિવસની અનેરી ઉજવણી સાથે શુભેચ્છાઓ પાઠવતા મુસ્લિમ બિરાદરો..

અમદાવાદ: ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો 71મો જન્મદિવસ દેશભરમાં લોકો ઠેર ઠેર અલગ અલગ રીતે માનવી રહ્યા છે ત્યારે અમદાવાદના જમાલપુર ખાતેના મુસ્લિમ બિરાદરો દ્વારા 71 મા જન્મદિવસ નિમ્મીતે 71 કિલોની કેક કાપી અનોખી ઉજવણી કરવામાં આવી હતી અને કૌમી એકતાની મિશાલ કાયમ કરી હતી. જમાલપુરના હિન્દૂ-મુસ્લિમ બિરાદરો, વ્યાપારીઓ, અગ્રણીઓ અને રહીશો દ્વારા જમાલપુર દરવાજા પાસે 71 કિલોની કેક કાપી એકતા અને ભાઈચારાનો અનોખો સંદેશ પાઠવ્યો હતો અને હર્ષોઉલ્લાસ સાથે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના લાંબા આયુષ્ય માટે દુઆઓ પ્રાર્થના કરવામાં આવી હતી આ ઉપરાંત ગરીબ લોકો માટે મફત મેડિકલ ચેકઅપ.કેમ્પનું આયોજન કરી સદભાવના સંદેશ પાઠવવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમના આયોજક રઉફભાઈ શેખ (બંગાળી) ના જણાવ્યા મુજબ નરેન્દ્રભાઈ મોદી જ્યારથી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા ત્યારથી અમદાવાદમાં કોઈ કૌમી તોફાનો થવા નથી પામ્યા ત્યારે હવે તે ભારત દેશનું સુકાન સાંભળી રહ્યા છે અને દેશ તેમના કર્યો થકી વિકાસના પંથે આગળ વધી રહ્યો છે જેના માટે ગુજરાત અને ભારતના તમામ નાગરિક માટે ગર્વની વાત કહી શકાય. આજે નરેન્દ્રભાઈ મોદીની કાર્યદક્ષતાના લીધે સર્વે સ્થાન પર શાંતિ અને એકતા જળવાઈ રહી છે જે દેશના વિકાસના હરણફાળની મજબૂત કડી છે જે નરેન્દ્રભાઈ મોદીના સબકા સાથ સબકા વિકાસની વાતને સાચું સાબિત કરે છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના નવ નિર્મિત કાર્યાલયનું ઉદ્ધઘાટન કરતા પંચમહાલ જિલ્લા કલેકટર

એબીએનએસ, વી.આર. ગોધરા: પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષ કુમારના વરદ હસ્તે ગોધરા દાહોદ…

આત્મહત્યા કરવા નીકળેલ પરિવારને બચાવતી ઇસનપુર પોલીસ ટીમનું શહેર કમિશ્નર દ્વારા કરાયું સન્માન

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા આજરોજ ઇસનપુર…

રૂ.૪૦,૦૦૦/-ના ચોરી થયેલ મોબાઇલ ફોન સાથે એક ઇસમને ઝડપી મોબાઇલ ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

દેશી બનાવટની પિસ્ટલ કિ.રૂ.૧૦,૦૦૦/- નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી…

ભાવનગર યુનિવર્સિટીનાં ઈતિહાસ વિભાગનાં વિદ્યાર્થીઓએ ભારતીય રાષ્ટ્રીય અભિલેખાગારની મુલાકાત લીધી

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી - શામળદાસ કોલેજ ના, ઈતિહાસ વિભાગના…

1 of 702

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *