Breaking NewsLatest

અમદાવાદ શ્રેય હોસ્પિટલમાં લાગેલ આગમાં પીપીઈ કીટ પહેર્યા વગર જીવના જોખમે 41 લોકોનો જીવ બચાવતા મહિલા PSI પરમારને એક સલામ..

અમદાવાદ: અમદાવાદના નવરંગપુરામાં આવેલ શ્રેય હોસ્પિટલમાં લાગેલા ભયંકર આગમાં 8 લોકોએ જાન ગુમાવ્યા હતા ત્યારે અન્ય 41 લોકોના જીવ બચી ગયા હતા. આ 41 લોકોના જીવ બચાવવામાં નવરંગપુરા પોલીસ સ્ટેશનના મહિલા PSI પરમારનો અદભુત ફાળો રહ્યો છે. નવરંગપુરા પોલીસ સ્ટેશાન ખાતે જ્યારે આગ લાગવાનો મેસેજ મળ્યો ત્યારે મહિલા PSI કે. એમ.પરમાર ફરજ ઉપર હતા અને તેઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવીને લોકોને બહાર નિકાળવાનો પ્રયાસ ચાલી રહેલ હતો. આવામાં 41 વ્યક્તિઓ જે ફસાયા હતા તેમના દ્વારા બચાવ માટે બુમો પાડવામાં આવી રહી હતી  ત્યારે લોકોની ચીસો સાંભળીને PSI પરમારથી રહેવાયું નહીં અને તેઓ તેમના સાથેના કોન્સ્ટેબલ ભરતભાઇ સાથે ઉપરના માળે પહોંચી ગયા હતા. ઉપર જે લોકો બચવા માટે મદદ માંગી રહ્યા હતા તેમને જીવન જોખમે PSI પરમારે બહાર લાવવાના પ્રયત્ન કર્યો હતો. આગમાં 41 જેટલા લોકો ફસાયા હતા તેમનો PSI પરમારે જાનના જોખમે જીવ બચાવ્યો હતો.

કોરોના વાયરસની સ્થિતિમાં જ્યારે પોઝિટિવ થઈને પરત આવનાર વ્યક્તિથી પણ લોકો દૂર રહે છે ત્યારે કોરોના પોઝિટિવ આવ્યા બાદ સારવાર મેળવી રહેલા લોકોને બચાવવા ના પીપીઈ કીટ પહેરી હતી કે ના અન્ય સાવધાની રાખી હતી .PSI પરમારના કામગીરીને ઉચ્ચ અધિકારીઓએ પણ વખાણી હતી અને તેમની આ કામગીરી અન્ય લોકો માટે પણ માનવતાનું પણ ઉમદુ ઉદાહરણ પૂરું પાડે છે. આ જાંબાઝ મહિલા PSI દ્વારા મોતની પરવા કર્યા વગર આગમાં કુદી લોકોનો જીવ બચાવી લેતા તેમની બહાદુરી અને જાંબાઝી માટે કોટી કોટી સલામ..

રિપોટ બાય સંજીવ રાજપુત અમદાવાદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઈશરધામ (સચાણા) ખાતે રવિવારે ઈશરનોમની સંતવાણી, મહાપ્રસાદ સહિતના ભકિતસભર કાર્યક્રમો સાથે થશે ઉજવણી

જામનગર, સંજીવ રાજપૂત: જામનગરના ઈશરધામ (સચાણા) ખાતે આગામી તા.૬ એપ્રિલ રામનવમીને…

જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના નવ નિર્મિત કાર્યાલયનું ઉદ્ધઘાટન કરતા પંચમહાલ જિલ્લા કલેકટર

એબીએનએસ, વી.આર. ગોધરા: પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષ કુમારના વરદ હસ્તે ગોધરા દાહોદ…

આત્મહત્યા કરવા નીકળેલ પરિવારને બચાવતી ઇસનપુર પોલીસ ટીમનું શહેર કમિશ્નર દ્વારા કરાયું સન્માન

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા આજરોજ ઇસનપુર…

રૂ.૪૦,૦૦૦/-ના ચોરી થયેલ મોબાઇલ ફોન સાથે એક ઇસમને ઝડપી મોબાઇલ ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

1 of 703

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *