Breaking NewsLatest

અરવલ્લીઃસાકરિયા ગામે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના દિવ્યરથનો ગ્રામજનો દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું..

મોડાસાના સાકરીયાના ગ્રામજનોએ દિવ્યરથના આગમનને લઈ પુરજોશમાં તૈયારીઓ કરી હતી.
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લામાં  ઉમિયા માતાજીના 10 જાન્યુઆરીથી 30 ફેબ્રુઆરી સુધી અરવલ્લી જિલ્લાના 270 ગામડામાં ઉમિયા માતાજીના દિવ્ય રથ દર્શનનો અનેરો લ્હાવો મળે તે આયોજનથી અરવલ્લી જિલ્લામાં દિવ્ય રથનો પ્રવેશ થયો હતો ત્યારે અરવલ્લીના મોડાસા તાલુકાના સાકરિયા ગામે ઉમિયા માતાજીના રથને આવકારવા સાકરિયા ગામના ગ્રામજનોમાં અનેરો  ઉત્સાહ જોવા મળ્યો હતો.

સાકરિયાના ગ્રામજનોએ  ગામમાં તેમજ શેરી શેરી પર આસોપાલવના તોરણ તેમજ વિવિધ ડેકોરેશન થી સજાવીને  તેમજ ગામને સ્વચ્છ બનાવી ગામને  દિવ્યરથને આવકારવા થનગની રહ્યા હતા ત્યારે  ઉમિયા માતાજીના દિવ્યરથનું  6 ફેબ્રુઆરી રવિવારના રોજ સાકરિયા ગામમાં ભવ્ય આગમન થતાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ.ગામના સર્વ સમાજના લોકો ઉમિયા માતાજીના રથયાત્રામાં ડી જે ના સંગીત પર ઝૂમી ઉઠ્યા હતા અને મા ઉમિયાની  પાલખી ભકતોના ઘરે ઉમિયા માતાજીની પધરામણી કરાઇ હતી. દિવ્ય રથની શોભા યાત્રામાં મહિલાઓ,યુવતીઓ,યુવાનો, બાળકો તેમજ વૃદ્ધો  મોટી સંખ્યમાં જોડાયા હતા. અને ગામમાં ધાર્મિક  તેમજ ભક્તિનો માહોલ સર્જાયો હતો. અને સાકરિયા ગામમાં ઉમિયા માતાજીના આરતી કરી આરાધના કરી માતાજીના રાસગરબા રમી દિવ્યરથની શોભાયાત્રાની  પૂર્ણાહુતિ કરી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *