ગુજરાત રાજ્ય અને અરવલ્લી જિલ્લાના ઈતિહાસમાં સૌપ્રથમવાર ઐતિહાસિક રીતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ના ચેરમેન પદે મહિલાએ સુકાન સંભાળ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે અરવલ્લી જિલ્લાના ભિલોડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેનની બિન હરીફ વરણી કરાતા સહકારી આલમમાં આનંદની લાગણી પ્રસરી છે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેનપદે નીલમ કુંવરબા હિતેન્દ્રસિંહ સિસોદિયા અને વાઇસ ચેરમેન પદે જયંતીભાઈ કુબેરભાઈ પટેલની સર્વાનુમતે બિન હરીફ વરણી કરાતા ભિલોડા તાલુકાના ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી છે. ગુજરાત રાજ્યમાં માર્કેટીંગ યાર્ડના ચેરમેનપદે સૌપ્રથમ મહિલા ચેરમેનપદે નીલમકુંવરબા સિસોદિયા બિન હરીફ ચૂંટાઈ આવતા સહકારી આગેવાનો માં સાબરકાંઠા બેંકના વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ ભાટી, ગુજરાત પ્રદેશ લીગલ સેલના સભ્ય રણવીરસિંહ ડાભી, સા. કા. જી. ખ. વે. સંઘ હિંમતનગરના વા.ચેરમેન ભીખાભાઇ પટેલ, ભિલોડા તાલુકા ભાજપ પ્રમુખ કાંતિલાલ પટેલ, સહિત સહકારી આગેવાનો દિલીપભાઈ કટારા, રવજીભાઈ પટેલ, ગલબાભાઈ પ્રજાપતિ, ધનજીભાઈ નીનામા, શુભેન્દ્રસિંહ સિસોદિયા, મુકેશભાઈ પટેલ, ગિરીશભાઈ પટેલ તેમજ સહકારી અને રાજકીય-સામાજિક આગેવાનોએ ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ વરણીને બિરદાવી હતી.
અરવલ્લી:ગુજરાત રાજ્યમાં સૌપ્રથમવાર ભિલોડા માર્કેટયાર્ડ ચેરમેન પદે મહીલા ઉમેદવાર નીલમકુંવરબા બિનહરીફ ચૂંટાયા
Related Posts
સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં શ્રી સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ
જામનગર, સંજીવ રાજપૂત: જામનગરની સુપ્રસિદ્ધ અને નવ દાયકા જૂની શ્રી સજુબા ગર્લ્સ…
જામનગરમાં પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનિયસ ક્લબના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરક્ષણ તાલીમનું આયોજન કરાયું
જામનગર, સંજીવ રાજપૂત: પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગરમાં…
જૂનાગઢ જિલ્લામાં 0 થી 18 વર્ષના 220618 બાળકોની આરોગ્ય તપાસણીનો આરંભ
જૂનાગઢ, સંજીવ રાજપૂત: રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અન્વયે જૂનાગઢ જિલ્લામાં…
હારીજ APMC ખાતે અલગ અલગ પ્રકારના ૧૦૧ વૃક્ષો વાવી વૃક્ષોનું જતન કરવા સંકલ્પ લેવાયો..
પાટણ, એબીએનએસ, એ.આર: પાટણ જીલ્લાના હારીજ ખાતે હારીજ APMC ખાતે વૃક્ષારોપણ કરવામાં…
Kiran Panjwani: The Woman Empowering India’s Modeling Aspirants through Glam & Elegance
In a world where glamour is often misunderstood as superficial, Kiran Panjwani…
મહોરમ પર્વ નિમિત્તે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઇ
જામનગર, સંજીવ રાજપૂત: આગામી દિવસોમાં આવનારા તાજીયાના જુલુસ અનુસંધાન જામનગર…
આર્મી રિક્રુટમેન્ટ દ્વારા NCC કેડેટ્સને ભારતીય સેનામાં જોડાવા માટે વાર્તાલાપનું કરાયું આયોજન
અમદાવાદ, સંજીવ રાજપૂત: 28 જૂન 2025 ના રોજ આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ અને અમદાવાદ…
ભાવનગરની કમળેજ પ્રાથમિક શાળા ખાતે જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ યોજાયો.
સમગ્ર ગુજરાતમાં પ્રારંભ થયેલ શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે ભાવનગરની કમળેજ…
ભાવનગરની ૪૦મી રથયાત્રા નિર્વિઘ્ન પૂર્ણ કરવા પોલીસ તંત્રનો ચાંપતો બંદોબસ્ત.સમગ્ર રૂટ પર આશરે પાંચ હજારથી પણ વધુ પોલીકર્મીઓ ફરજ પર તૈનાત
દેશની ત્રીજા નંબરની અને અમદાવાદ પછી રાજ્યની બીજા નંબરની ભાવનગર જિલ્લાની ભગવાન…
ભગવાન જગન્નાથજીની ૪૦મી રથયાત્રામાં દુર્ગાવાહિની બહેનો દ્વારા અખાડાના કૌશલ્ય દાવો રજૂ કરાયા.તલવાર બાજી, ચક્ર ફેરવવું, પટ્ટાબાજી, લાઠી ફેરવવી સહિતની કલા આકર્ષણનું કેન્દ્ર બન્યું
ભાવનગરમાં યોજાઇ રહેલ ભગવાન જગન્નાથજી ની ૪૦મી રથયાત્રામાં દુર્ગાવાહિનીની બહેનો…