ભિલોડા તાલુકામાં ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની નવીન શાખાનું ભિલોડાના ધારાસભ્ય અનલિભાઈ જોષીયારાના વરદ હસ્તે રિબીન કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ડોક્ટર અનિલ જોષીયારા નવીન રેડ ક્રોસ સોસાયટી ને ૨૧ હજાર રૂપિયાનું દાન આપ્યું હતું તેમજ રેડક્રોસ માટે આગામી સમયમાં જે પણ યોગદાન આપવાનું થાય . લેબોટરી, બ્લડબેંક કે રેડ ક્રોસ ની કઇ પણ સુવિધા હોય તેમાં મારુ યોગદાન રહેશે. રેડ ક્રોસ ની સ્થાપના કરી મહિલાઓ આગળ આવી જાગૃત બની તે બદલ મહિલાઓને બિરદાવી હતી. અરવલ્લીના મોડાસા રેડક્રોસ સોસાયટીના ચેરમેન શ્રી ભરતભાઈ પરમારે રેડ સારી એવી રૂપરેખા અને અભિયાન પોતે ચલાવી રહ્યા છે જેમાં તેઓએ કહ્યું કે રેડ ક્રોસ એનેક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું છે તેની વિસ્તૃત માહીતી આપી જેમાં પ્રાથમિક સારવાર હોમ હેલ્થ કેર જે રોજગાર લક્ષી આરોગ્ય અને શિક્ષણ જે છેલ્લા પાંચ વરસથી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અરવલ્લી જિલ્લામાં આ પ્રવૃત્તિ ચાલી રહી છે. અરવલ્લી જિલ્લાના તમામ તાલુકામાં જેમકે માલપુર, મેઘરેજ બાયડ, ભિલોડા ,ધનસુરા દરેક જગ્યાએ રેડ ક્રોસ સોસાયટીની તાલુકા બ્રાન્ચો કરવામાં આવી છે આવી છે ગ્રામ્ય વિસ્તારના લોકોને અને આસપાસના વિસ્તારના લોકોને પ્રાથમિક સારવાર માટે મોડાસા અને અમદાવાદ ન જવું પડે ગ્રામ્ય વિસ્તારના લોકોનો સમય બચે અને આર્થિક ભારણ પણ બચે,તે માટે તેઓએ દરેક જગ્યાના તાલુકામાં રેડ ક્રોસ સોસાયટી ની બ્રાન્ચ બનાવી છે. કોલોજ નાં વિદ્યાર્થીઓ માટે યુથ રેડ ક્રોસ મા થેલેસીમિયા પરિક્ષણ , શિક્ષણ, આરોગ્ય તેમજ રાજ્યને દેશ નો સારો નાગરિક બને એનું ઘડતર થાય એવું માર્ગ દર્શન આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે તેઓ આ કાર્ય કરી રહ્યા છે જેઓ લોકજાગૃતિ પ્રાથમિક સારવાર તેમજ સમાજ સેવાકીય પ્રવૃત્તિઓમાં અત્યાર સુધી યોગદાન આપી રહ્યા છે. તેમજ પ્રસંગને કિરણ ભાઈ ખરાડી, વિઠ્ઠલભાઈ પટેલ, અરવિંદ ભાઈ શ્રીમાળી , શ્રી ડો. કટારા , સી. એની બેન અને સી. પ્રેમિલાબેને આ મહુનાભવો એ પ્રસંગને અનુરૂપ પ્રવચન આપ્યું ભિલોડા રેડક્રોસ સોસાયટીના ચેરમેન શ્રી મેરી બહેન ને મહેમાનોનું પરિચય અને મહેમાનોનું સ્વાગત કર્યુ હતું લક્ષ્મીબેન જેઓ રેડક્રોસ સોસાયટીના સેકરેટરી છે તેઓએ પ્રોગ્રામ નું સંચાલન કર્યું હતું અને તેમજ સવિતાબેન જેઓ વાઇસ ચેરમેન છે તેઓ એ આભાર વિધિ કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી. આ કાર્યક્રમ મા રેડ ક્રોસના સભ્યો અને ગામના પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આદિજાતિ વિસ્તારમાં રેડક્રોસ સોસાયટીની નવીન શાખા આદિવાસી મહિલા વિકાસ સંઘ ભિલોડાની જગ્યામા ખુલ્લી મુકાઈ છે. હવે તાલુકામાં પણ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની શરૂઆત થતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની નવી કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું.આદિજાતિ વિસ્તારના લોકોને હવે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના કાર્યોનો સરળતાથી લાભ મળશે.
Related Posts
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી દ્વારા આસો સુદ – ૯ને તા. ૦૧/૧૦/૨૦૨૫ના પાવન દિને અંબાજી ખાતે દાંતા રોડ દિવાળીબા ગુરુભવનની નવીન જગ્યાએ નિઃશુલ્ક ભોજન -અંબિકા ભોજનાલયનો શુભારંભ અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેકટરશ્રી કૌશિક મોદીના વરદ્દ હસ્તે કરવામાં આવ્યો.
યાત્રાધામ અંબાજી ખાતે મંદિર ટ્રસ્ટ દ્વારા દાતાશ્રીઓના સહયોગથી નિઃશુલ્ક અંબિકા …
જયની મૈત્રેયીએ ફોરેવર મિસ ટીન ઈન્ડિયા કચ્છ 2025નો ખિતાબ જીત્યો
કપિલ પટેલ દ્વારા દિલ્હી દિલ્હી પબ્લિક સ્કૂલ ગાંધીધામની ધોરણ 10ની વિદ્યાર્થિની…
પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતના ઘરે સ્વયં ગાય દોહતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
અમરેલી, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અમરેલી જિલ્લાના પ્રવાસ દરમિયાન…
આણંદ ની બાળકી આધ્યાયની ત્રિવેદી તરફ થી નવરાત્રી ની અનોખી આરાધના
માં આધ્યશક્તિ ને પોખવાનું પર્વ એટલે નવરાત્રી..ત્યારે આ બાળકી આધ્યાયની ત્રિવેદી…
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ પોરબંદર શહેરમાં સ્થાનિક વ્યાપારીઓને સ્વદેશીના ઉપયોગ માટે પ્રોત્સાહન આપ્યુ
કેન્દ્રીય મંત્રીશ્રીએ દેશી ઢોલ અને શરણાઈના સૂરે સ્વદેશીના ઉપયોગ અને જીએસટી…
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ સુભાષનગર વિસ્તારમાં યોજાયેલ સર્વ રોગ નિદાન કેમ્પની મુલાકાત કરી સ્થાનિક લોકો સાથે સંવાદ સાધ્યો
કેન્દ્રીય મંત્રીશ્રીએ સ્થાનિકોને વ્યસન મુક્ત થઈ સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અપીલ કરી…
કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. મનસુખભાઈ માંડવીયાની પોરબંદર શહેરના વિવિધ વિસ્તારોમાં મુલાકાત કરી
કેન્દ્રીય મંત્રીશ્રીએ સ્થાનિક પ્રશ્નો અંગે તથા વિકાસ કાર્યોની સમીક્ષા કરી…
પોરબંદરમાં આત્મનિર્ભર ભારત અને યુવાનો વિષયક સંમેલન યોજાયું
કેન્દ્રિય કેબિનેટ મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાનું આહવાન – યુવાનો “રાષ્ટ્ર…
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ પોરબંદર ચોપાટી ખાતે સખી મેળો-2025 નો શુભારંભ કરાવ્યો
પોરબંદર તા.૨૬:પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના…
સહયોગી શાળા એસ ડી પટેલ વિદ્યાલય, વડોદરા ખાતે “રોગ મુક્ત ભારત અભિયાન” પ્રોજેક્ટ નાં અમલીકરણ ની શુભ શરૂઆત
પાયોનિયર હોમિયોપેથિક મેડિકલ કોલેજ ના આચાર્ય ડૉ. અલ્પેશભાઈ શાહ અને એસ.ડી. પટેલ…