Latest

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના 15 થી વધુ ગામોના ખેડૂતો પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો નહિ મળતા પરેશાન બન્યા છે

છેલ્લા પંદર દિવસથી વીજ પુરવઠો પૂરતા પ્રમાણમાં નહિ મળતા ઘઉંના પાકને છેલ્લું પિયત આપી શકાયું નથી જેથી પાકને નુકશાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહયા છે.

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

મોડાસા તાલુકાના ખેતરોમાં લહેરાતો દેખાતો આ ઘઉંનો પાક આગામી દિવસોમાં વીજ વિભાગની બેદરકારીને કારણે મુરજાઈ જાય તો નવાઈ નહિ. તાલુકાના ઉમેદપુર ,જીવનપુર , ઈસરોલ ,દધાલિયા સહિતના 15 ગામોમાં છેલ્લા પંદર દિવસથી ખેડૂતોને સિંચાઈ માટે આપવામાં આવતો વીજ પુરવઠો પૂરતા પ્રમાણમાં નહિ મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે એક તરફ ઘઉંનો પાક તૈયાર થઇ ગયો છે અને છેલ્લું પાંચમું પાણી આપવાનું બાકી છે તેવામાં લોડશેડિંગના નામે દિવસ કે રાત્રી દરમિયાન 8 કલાક ને બદલે માત્ર 4 થી 5 કલાક
જ વીજ પુરવઠો આપવામાં આવતા ખેડૂતો પૂરતું પિયત પણ કરી શકતા નથી જેની અસર ખેડૂતોના ઘઉં મકાઈ અને ઉનાળુ લીલારાના પાક ઉપર પડી રહી છે. બીજી તરફ ઘઉંના પાકમાં છેલ્લું પિયત બાકી હોવાના કારણે ઘઉંના ઉત્પાદન ઉપર પણ મોટી અસર થવાની ભીતિ ખેડૂતો સેવી રહયા છે.

ખાસ કરીને હાલ આ પંથકમાં વીજ પુરવઠાનો સમય રાત્રિ ના 12.30 વાગ્યાનો ચાલી રહ્યો છે જેથી ખેડૂતો અડધી રાત્રે જાગી ઉજાગરા કરી પાણી પિયત કરવા જાય છે પરંતુ વીજ પુરવઠો નહિ હોવાના કારણે રાત્રીના ઉજાગરા કરી આખી રાત ખેતરમાં વીજળી આવવાની રાહ જોઈ બેસી રહેવું પડે છે તેમ છતાં પિયત થઇ શકતું નથી માત્ર ચારથી પાંચ કલાક વીજ પુરવઠો મળતા વાવેતર વિસ્તારમાં પાણી પિયત થઇ શકતું નથી જેથી આ વિસ્તારના ખેડૂતો પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો આપવામાં આવે તેવી માંગ કરી રહયા છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *