Breaking NewsLatest

આંગણવાડીઓમાં કુપોષિત બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટે ગુજરાત સરકાર દ્વારા સત્વ આયોડિનયુક્ત મીઠું ફાળવવામાં આવતું હોય છે ત્યારે સરકાર દ્વારા આપવામાં આવતું સત્વ આયોડીનયુક્ત મીઠું સુરતના શહેરના રોડ રસ્તાઓ પર રજડતી હાલતમાં જોવા મળી રહ્યું છે.તે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત.

                 ગુજરાત સરકાર દ્વારા આંગણવાડીઓમાં કુપોષણ ગરીબ બાળકો અને ગર્ભવતી મહિલાઓને શિક્ષણ અને સ્વાસ્થ્ય જળવાઇ અને પોષણ મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા મોટું બજેટ ફાળવવામાં આવતું હોય છે. જેમાંથી દર મહિને આંગણવાડીઓ દ્વારા કુપોષિત બાળકો અને ગર્ભવતી મહિલાઓને એક સત્વ આયોડીનયુક્ત મીઠુંનું પેકેટ દર મહિને વિતરણ કરવાનો હોય છે. પણ ખરેખર વિતરણ કરવામાં આવતું હોય છે ખરી કે માત્ર કાગળ પર જ એની નોંધ લેવામાં આવે છે જો વિતરણ કરવામાં આવતું હોય તો સરકાર દ્વારા આપવામાં આવતું આ મીઠું કેમ રજડતી હાલતમાં જોવા મળી રહ્યા છે.

            સુરત શહેરના પુરવઠા ખાતાના ગોડાઉન પરથી સસ્તા અનાજની દુકાનો સુધી સત્વ આયોડીનયુક્ત મીઠું પહોંચાડવામાં આવતું હોય છે ત્યારબાદ આંગણવાડીની બહેનો દ્વારા સત્વ આયોડીનયુક્ત મીઠા ને મેળવી લેવાનું હોય છે મેળવ્યા બાદ આંગણવાડીમાં કુપોષિત બાળકો અને ગર્ભવતી મહિલાઓને દર મહિને એક સત્વ આયોડીનયુક્ત મીઠાનું પેકેટ વિતરણ કરવાનું હોય છે જો આ સિસ્ટમ સરકાર દ્વારા ગોઠવવામાં આવી છે તો પુરવડા ખાતાના વ્યાજબી ભાવની દુકાનોના સંચાલકો અને આંગણવાડીની બહેનો વચ્ચે સંકલન કેમ કરવામાં આવતું નથી.

          જેની પાછળ સરકાર કરોડો રૂપિયા ખર્ચે કરતી હોય છે. સરકારી ગોડાઉનના માધ્યમથી પુરવઠા ખાતાના સસ્તા અનાજના દુકાનો પર પહોંચાડવામાં આવતું હોય છે એ દુકાન ચાલકને પણ આની ખબર નથી હોતી કે આ સત્વ આયોડીનયુક્ત મીઠું કઈ અગણવડીનું છે.જ્યારે આંગણવાડીની બહેનો સત્વ મીઠું લેવા જતા હોય ત્યારે ખબર પડતી હોય છે કે આ સત્વ મીઠું આ આંગણવાડીનું આવેલું છે.

                        જેથી કંટ્રોલની દુકાનની આસપાસમાં આવતી આંગણવાડીઓના સંચાલકો દ્વારા દુકાનો પરતી સત્વ આયોડીનયુક્ત મીઠું મેળવી લેવાનું હોય છે પણ જ્યારે આ મીઠું આંગણવાડી બહેનો દ્વારા લઇ નથી જવામાં આવતો અથવા સરકાર દ્વારા આપવામાં આવતું મીઠું એસ્પાયરી હોવાથી મીઠું કંટ્રોલ દુકાનની બહાર જ રજડતી હાલમાં  મૂકી દેતા હોય છે.જેના કારણે સત્વ મીઠું રોડ રસ્તાઓ પર રજડતી હાલતમાં દેખાય રહ્યું છે જેથી લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો

આંગણવાડીઓને સરકાર દ્વારા આપવામાં આવતું સત્વ આયોડીનયુક્ત મીઠું રજડતિ હાલતમાં જોવા મળી રહ્યું છે..

ગુજરાત સરકાર દ્વારા કરોડોના ખર્ચે આંગણવાડીના ગરીબ અને ગર્ભવતી મહિલાઓ માટે આયોડીનયુક્ત સત્વ મીઠું આપવામાં આવતું હોય છે..

કરોડના ખર્ચે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતું મીઠું ખરેખર આંગણવાડી દ્વારા આપવામાં આવે છે ખરું કે માત્ર કાગળ પર જ આપવામાં આવતું હોય છે…

પૂર્વ ખાતાના સસ્તા અનાજની દુકાનોની બહાર રડતી હાલતમાં સત્વ મીઠું રજત હાલતમાં જોવા મળતો હોય છે..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 724

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *