Latest

આગામી શૈક્ષણિક સત્ર ૨૦૨૨-૨૩ દરમિયાન જવાહર નવોદય વિદ્યાલય ત્રાપજ બંગલા ખાતે ધોરણ ૯ માં પ્રવેશ પસંદગી પરીક્ષાનાં પ્રવેશ પત્રો વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે

આગામી શૈક્ષણિક સત્ર ૨૦૨૨-૨૩ દરમિયાન જવાહર નવોદય વિદ્યાલય ત્રાપજ બંગલા, જી.ભાવનગર ખાતે ધોરણ ૯ માં પ્રવેશ પસંદગી પરીક્ષા આગામી તા.૦૯.૦૪.૨૦૨૨ ના રોજ યોજાનાર છે. રોલ નંબર 131865 થી 132116 સુધીના કુલ ૨૫૨ વિદ્યાર્થીઓ જવાહર નવોદય વિદ્યાલય, ત્રાપજ બંગલા પરીક્ષા કેન્દ્ર પરથી રોલ નંબર 132117 થી 132356 સુધીના કુલ ૨૪૦ વિદ્યાર્થીઓ તળાજા તાલુકાનાં બેલા ગામ ખાતે આવેલ એન. એસ. ડાંખરા ઉત્તર બુનિયાદી વિદ્યાલય, બેલા(બેલા સંસ્થા) પરીક્ષા કેન્દ્ર પરથી તથા રોલ નંબર 132357 થી 132568 સુધીના કુલ ૨૧૨ વિદ્યાર્થીઓ તળાજા તાલુકાનાં બોરડા ગામ ખાતે આવેલ શ્રી કૃષ્ણ ઉત્તર બુનિયાદી વિદ્યાલય, બોરડા પરીક્ષા કેન્દ્ર પરથી પરીક્ષા આપશે. વિદ્યાર્થીઓએ પરીક્ષાના દિવસે સવારે ૧૦:૦૦ વાગ્યે સબંધિત પરીક્ષા કેન્દ્ર ખાતે હાજર થવું. પ્રવેશ પત્રો (એડમિટ કાર્ડ) www.navodaya.gov.in અથવા www.nvsadmissionclassnine.in વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે તેમ જવાહર નવોદય વિદ્યાલય દ્વારા જણાવાયું છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કોમી એકતાની અનોખી મિશાલ: ચલાલામાં નવનિર્મિત આધુનિક ‘જુમ્મા મસ્જિદ’નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ

​દાનમહારાજની ભૂમિમાં શબીરબાપુ અને વલકુબાપુની ગરિમામય હાજરીમાં રવિવારે લોકાર્પણ.…

૭૭મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે જેતપુરમાં કરાશે

રાજકોટ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રાજકોટ જિલ્લાના જેતપુરમાં હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે…

1 of 623

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *