Latest

આજનો અનુભવ. – જય શીતળામાં દરેકની મનોકામના પૂરું કરજો. – “સુચિતા ભટ્ટ “કલ્પનાના સૂર.”

આજે સવારથી મન ઉદાસ હતું, તહેવારના સમયમાં પણ કોરોના જેવી મહામારીના લીધે મંદિરો બંધ છે અને તેવા સમયમાં મંદિરે જઈને ભગવાનને મળી ના શકવાનું દુઃખ ભારોભાર થયું, આજે શીતળા સાતમ છે, આપણી સંસ્કૃતિ અને સંસ્કાર પ્રમાણે જ્યાં માતાજીની માટીની મૂર્તિની સ્થાપના થતી હોય ત્યાં જઈ પૂજા અર્ચના કરવી અને ઠંડુ બનાવેલું પહેલા માતાજીને અર્પણ કરવું, પણ આ વખતે શક્ય નહોતું એટલે સવારે અચાનક જ કુદરતી રીતે જ વિચાર આવ્યો કે આજે ભગવાનને મળવા નથી જવું ભગવાનને જ ઘરે બોલાવા છે,જો જીદ ભગવાનની પણ છે તો ભક્તની પણ હોય શકે, ક્યારેક ક્યારેક મોબાઈલ ના ગેરફાયદા સાથે ફાયદા પણ છે, અને ગુગલમાં થી માતાજીનો ફોટો શોધ્યો અને ઝેરોક્ષ કરાવી આવી અને ઘરે ખૂબ જ હર્ષથી માતાજીની વિધિવિધાનથી પૂજા થઇ,અને મનને સંતોષ થયો. પોતાની જાતની સુરક્ષા પણ થઇ, અને મન પ્રફુલ્લિત પણ થયુ..

સારા કામમાં વિઘ્નો આવવાના જ લખી રાખજો, પણ જે ભગવાનને કરાવવું હોય તે કોઈની તાકાત નથી રોકી શકે.. આજનો અનુભવ..
જય શીતળામાં.. 🙏🏻
દરેકની મનોકામના પૂરું કરજો.
સુચિતા ભટ્ટ “કલ્પનાના સૂર”

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોપટપુરા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોગાભ્યાસ કાર્યક્રમ યોજાયો

ગોધરા, વિનોદ રાવલ,એબીએનએસ: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય અને…

પાટણમાં નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, કોલેજ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ

રાધનપુર. અનિલ રામાનુજ. એબીએનએસ : પાટણવાસીઓ વહેલી સવારે હૂંફાળા પવન સાથે યોગમયી…

1 of 607

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *