Breaking NewsLatest

આજરોજ રૂપિયાપુરા થી પાવાગઢ મહાકાળી માતાજીના દર્શનાર્થે પગપાળા સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું.

રૂપિયાપુરા ગામના સમગ્ર ગ્રામજનો દ્વારા દર વર્ષે દિવાળી અને દેવ-દિવાળીના સમયગાળા દરમિયાન પાવાગઢ મહાકાળી માતાજીના દર્શનાર્થે પગપાળા સંઘનું આયોજન કરવામાં આવે છે, અને ગામમાં સુખ, શાંતિ, અને સમૃદ્ધિ તથા ગામના લોકોનુ આરોગ્ય નિરોગી બની રહે એવી પ્રાર્થના કરે છે. આ વર્ષે પણ રાબેતા મુજબ રૂપિયાપુરા ગ્રામજનો ધ્વારા દર્શનાર્થે પગપાળા સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું. આ સંઘમાં ઘણી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. આ સંઘ લગભગ ચાર દિવસ બાદ પાવાગઢ મુકામે પહોંચશે અને મહાકાળી માતાજીના મંદિરે દર્શન તથા પુજા અર્ચના કરશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગરમાં પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનિયસ ક્લબના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરક્ષણ તાલીમનું આયોજન કરાયું

જામનગર, સંજીવ રાજપૂત: પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગરમાં…

1 of 726

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *