Breaking NewsLatest

આદિપુરના ઘનશ્યામ એપાર્ટમેન્ટમાં બાલ્કનીનો સ્લેબ તૂટતા બાળકીનું મોત, માતા ઘાયલ

વોર્ડ 4/એમાં આવેલી ઘનશ્યામ એપાર્ટમેન્ટ નામની બિલ્ડીંગના પ્રથમ માળની એક બાલ્કનીનો સ્લેબ તૂટી પડ્યો. ઘટનામાં ગ્રાઉન્ડફ્લોરમાં રહેતા ચોકીદાર પરિવારના ત્રણ સભ્યોને ઇજા પહોંચી હતી. જેમાં 5 વર્ષીય બાળકીનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે તેની 34 વર્ષીય માતાને માથાના ભાગે ગંભીર પ્રકારની ઇજા પહોંચતા સારવાર અર્થે રામબાગ અને ત્યાંથી ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે આદિપુર પોલીસે તપાસ હાથ ધરી છે.
ઘટનાની આદિપુર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત અનુસાર શહેરના વોર્ડ 4એ આ આવેલી ઘનશ્યામ એપાર્ટમેન્ટ બિલ્ડીંગના પ્રથમ માળની બાલ્કનીની સ્લેબ તૂટી પડતા નીચે રહેતા ચોકીદારની 5 વર્ષીય પુત્રી નંદુનું સારવાર મળે તે પહેલાજ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બાળકીની 34 વર્ષીય માતા નિર્મલબેન પંકજભાઈ ઠાકોરને માથાના ભાગે ઇજા પહોંચતા સારવાર માટે આદિપુરની રામબાગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. બાળકીના મૃતદેહને પીએમ માટે રામબાગ ખાતે રાખવામાં આવ્યો છે. આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.

 

Reporter Karishma Mani Kuchh

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મુખ્યમંત્રીના હસ્તે રૂપિયા પાંચ કરોડના ખર્ચે નવનિર્મિત પોલીસ મહાનિરીક્ષકની કચેરીનું લોકાર્પણ કરાયું

ગોધરા, સંજીવ રાજપૂત: ગુજરાત ગૌરવ દિનની રાજ્ય કક્ષાની ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રી…

જામનગર જિલ્લાના હોમગાર્ડઝ સભ્યોની લેખિત અને શારીરિક કસોટીને લઈ તેઓની કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું

જામનગર, સંજીવ રાજપૂત: જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગીરીશ સરવૈયાના નેતૃત્વ…

1 of 712

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *