Breaking NewsLatest

ઉમરાળા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યુ

હિંદુ દેવી દેવતાના ફોટાનો ઉપયોગ કરનાર સામે IPC કલમ 295,2954,296, 298 મુજબ પોલીસ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે

હિન્દુ દેવી દેવતાના ફોટાવાળા ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂકવા આવે અને હાલ દિવાળી એટલે કે હિન્દુઓનો સૌથી મોટો તહેવાર આવી રહ્યો છે આ તહેવારને હિન્દુઓ ખુબજ આનંદ ઉલ્લાસ સાથે ઉજવે છે અને સનાતન સંસ્કૃતિમાં ખૂબ મહત્વ અપાયું છે દિવાળીના તહેવારને પ્રકાશનું પર્વ કહેવામાં આવે છે આ સમયે ફટાકડા ફોડવામાં આવે છે ઘણા સમયથી હિંદુ દેવી દેવતાઓના ફોટાવાળા ફટાકડા માર્કેટમાં વેચાય છે જેના ઉપર લક્ષ્મી માતાજી,હનુમાનજી મહારાજ તથા ભગવાન શ્રી
કૃષ્ણના ફોટો લગાડેલ હોય છે જ્યારે ફટાકડા ફૂટે છે ત્યારે ભગવાનના ફોટાના પણ ચીથડે ચીથડા થઈ જાય છે અને
લોકોના પગે કચડાય છે આ કારણે હિન્દુ ધર્મની લાગણી દુભાઈ છે અને ભારોભાર રોષ ફેલાઈ છે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ,આરએસએસ. સહિતની ધાર્મિક સંસ્થાઓ સતત  સામાજિક જાગૃતિ માટે ખૂબ  મહેનત અને પ્રયત્નો કરી
રહ્યા છીએ સાથે સરકારને આવેદનપત્ર આપીને જે દુકાનદારો પાસે આવા ફટાકડા છે તેનુ વેચાણ બંધ કરાવીએ છીએ
તેમ છતા આવા ફટાકડાનુ વેચાણ બંધ થતું નથી જેથી આપ ઉમરાળા મામલતદાર,પોલીસ અધિકારીને નિવેદન છે કે આપ આવા ફટાકડાના વિક્રેતા પર IPC કલમ 295,2954,296,298 મુજબ પોલીસ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી અપેક્ષા
સાથે વિશ્વ હિન્દુ પરિષદ- બજરંગ દળ દ્વારા આપની પાસે માંગણી કરે છે અમને પુરી આશા છે કે હિન્દુ ધર્મની લાગણીને
ધ્યાનમાં લઈ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *