Breaking NewsLatest

ઉમરાળા ગામે ખાબડી વિસ્તારમાં નવી પાણીની ટાંકીનુ ભુમિ પુજન કરાયું.

ઉમરાળા ખાતે આપ અને કોંગ્રેસ આગેવાનો દ્વારા સૂત્રોચ્ચાર સાથે ધારાસભ્ય આત્મારામ પરમારનો વિરોધ કરવામાં આવ્યો પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી

ઉમરાળા ગામે ખીજડા બજાર,ગોપાલવાડી, સીતારામનગર દેવીપૂજક વાસ, વાલ્મીકિ વાસ,અમન સોસાયટી,મહાત્મા ગાંધી સોસાયટી વિગેરે વિસ્તારોમાં છેલ્લા ઘણાં વર્ષોથી પીવાના પાણીની સમસ્યા સર્જાતી હતી તેનાં કાયમી ઉકેલ લાવવા માટે ખાસ અનભૂતની ગ્રાન્ટ અને લોક ફાળો એકત્ર કરી ટાંકી બનાવવાના કામનુ ધારાસભ્ય આત્મારામ પરમારના વરદ હસ્તે ઉમરાળા ગામે ખાબડી વિસ્તારમાં નવી પાણીની ટાંકીનુ ભુમિ પુજન કરવામાં આવ્યુ હતુ

ત્યારબાદ ઉમરાળા ગ્રામ પંચાયત દ્વારા ઘાંચી સમાજની વાડી ખાતે ધારાસભ્ય,તાલુકા પંચાયત પ્રમુખ,તા.ઉપપ્રમુખ, અધિકારી,ચેરમેન,પદાધિકારી,સહિત ગામના આગેવાનો તેમજ આમંત્રિત મહેમાનોનુ ઉમરાળા ગ્રામ પંચાયત બોડી દ્વારા ફુલહાર થી સન્માન કરવામાં આવ્યુ હતુ તેમજ ધારાસભ્ય આત્મારામ પરમારે કાર્યક્રમને અનુરૂપ સંબોધન કર્યું હતુ ત્યારબાદ ઉમરાળા ગ્રામ પંચાયત સરપંચ પતિ જીતુભા વાળા દ્વારા આભાર વિધિ વ્યક્ત કરી કાર્યક્રમ પુણ જાહેર કરવામાં આવ્યો હતો

*રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા*

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સતત 10 વર્ષથી એક રાખી ફોજી કે નામ અભિયાન હેઠળ મહિલા કોર્પોરેટર દ્વારા જવાનોને રાખડી બાંધવામાં આવી

જામનગર, સંજીવ રાજપૂત: એક રાખી ફોજી કે નામ અભિયાન હેઠળ જામનગરના મહિલા કોર્પોરેટર…

રૂ.૪,૩૫,૧૦૦/-ના શંકાસ્પદ મુદ્દામાલ કબ્જે કરી બે ઇસમોને પકડી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

ભાવનગર શહેરમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી સંદર્ભે કમિશનરશ્રી એન.કે.મીણાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.

રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં “હર ઘર…

1 of 732

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *