Breaking NewsLatest

એન.આર.એલ.એમ.યોજના થકી જિલ્લાની એક લાખ મહિલાઓને આર્થિક સહાય મળી

“ગામડાંની બહેનો માટે આ યોજના આશીર્વાદ સમાન”

કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સાબરકાંઠા જિલ્લાની મહિલાઓ આર્થિક રીતે પગભર બને તે માટે રાષ્ટ્રિય ગ્રામિણ આજિવિકા મિશન અંતર્ગત એન.આર.એલ.એમ યોજના થકી સખી મંડળની એક લાખથી વધુ મહિલાઓને બેંક દ્રારા લોન આપવમાં આવી છે. ગ્રામ્ય વિસ્તારની ગરીબ મહિલાઓને સંગઠિત કરી તેઓને આર્થિક, સામાજીક, કૌટુંબિક, શૈક્ષણિક તેમજ આરોગ્ય વિષયક ક્ષેત્રમાં વિકાસ તરફ આગળ વધે તે હેતુને ધ્યાનમાં રાખી સરકારશ્રી ધ્વારા અનેકવિધ યોજનાઓનુ અમલીકરણ થઇ રહ્યુ છે.
સાબકાંઠા જિલ્લામાં એન.આર.એલ.એમ. યોજના અંતર્ગત ૧૦,૪૫૦ સખી મંડળો છે. જિલ્લામાં કુલ ૧,૦૮,૪૦૮ મહિલાઓ સખી મંડળને બેંક થકી આર્થિક સહાય મળેલ છે. જિલ્લામાં સખી મંડળની મહિલાઓ સખી મંડળ મારફતે મળતી બેંક લોન સહાય થકી લઘુ ઉદ્યોગથી રોજગારી મેળવે છે. ગામડાની બહેનો માટે એન.આર.એલ.એમ. યોજના આશીર્વાદ સમાન સાબિત થઇ છે. મિશન મંગલમ યોજના અંતર્ગત ગ્રામીણ ગરીબ કુટુંબોમાં સ્વસહાય જુથો રચી આર્થિક પ્રવૃત્તિ સાથે સાંકળવા તેમજ રીવોલ્વીંગ ફંડ, બેંક ધિરાણ સાથે જોડવાના હેતુથી ભારત સરકાર તથા રાજય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ સ્વરોજગારી પુરી પાડી ગ્રામીણ ગરીબ કુટુંબોને આર્થિક રીતે પગભર બનાવવાની પ્રવૃત્તિઓ હાથ ધરાયેલ છે. એન.આર.એલ.એમ. યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૧ દરમિયાન ૧૫૨૭ જુથોને રૂ.૧૬,૭૮,૫૮,૦૦૦/-ની લોન આપવમાં આવી હતી. જ્યારે વર્ષે ૨૦૨૨માં ૧૫૬૩ જુથોને રૂ. ૧૫,૯૨,૯૫,૦૦૦/-ની લોન આપવામાં આવી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *