Breaking NewsLatest

કન્યા-કિશોરોના કૌશલ્ય જાગૃતિ માટે ગાયત્રી પરિવાર દ્વારા ભગીરથ પ્રયાસ

કપિલ પટેલ દ્વારા અરવલ્લી
છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલ કોરોના રુપી મહામારીના વાતાવરણની બાળકોના માનસ પર પણ અસર થઈ હોય તે સ્વાભાવિક છે. કિશોર અવસ્થાના બાળકો કે જેઓના અભ્યાસ પર પણ અસર થઈ હોય.આવા સમયમાં આવા કન્યા-કિશોર ઉંમરમાં જેઓ સમજણના ઉંબરે આવીને ઉભા હોય છે. આવા બાળકોને સાચા માર્ગ પર પ્રેરણા અને માર્ગદર્શન મળે એમના મનોબળ અને કૌશલ્યને જાગૃત કરવા મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો. જે “કન્યા-કિશોર કૌશલ્ય” જાગૃતિ અભિયાન ચલાવવા તા.6 ફેબ્રુઆરી, રવિવારથી આ આંદોલનનો શુભારંભ કરવામાં આવ્યો. મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર પર આ માટે બપોરે 2 થી 4 દરમિયાન આ પ્રથમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. જે હવેથી મોડાસા ક્ષેત્રમાં ગામેગામ આ રીતે કન્યા-કિશોર કૌશલ્ય જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે.


આ કન્યા-કિશોર કૌશલ્ય જાગૃતિ અભિયાનની આ પ્રથમ શિબિરનો શુભારંભ ગાયત્રી ચેતના કેન્દ્રના પ્રમુખશ્રી ધર્માભાઈ પટેલ, આ આંદોલનના જિલ્લા સંયોજક વિલાસબેન પટેલ, આ આંદોલનના મોડાસા તાલુકા સંયોજક કિરણબેન ભાવસાર, અમિતાબેન પ્રજાપતિ એ દિપ પ્રજ્વલિત કરી શુભારંભ કર્યો હતો. ઉપસ્થિત સૌ બાળકો તથા વાલિઓને આ વિષયમાં શાંતિકુંજ હરિદ્વારથી તાલિમ લઈને આવેલા વિલાસબેન પટેલ તથા કિરણબેન ભાવસારે પ્રોજેક્ટર દ્વારા પ્રેઝન્ટેશન સાથે ખૂબ જ ઝીણવટ ભરી માહિતીથી આપી હતી.
ગાયત્રી પરિવારના અરવલ્લી જિલ્લા સમન્વયક હરેશભાઈ કંસારાએ આ પ્રયાસને હાલની સ્થિતિમાં ખૂબ જ જરુરી ગણાવ્યો હતો. આ માટે વધુમાં વધુ સક્રિય પ્રયાસ હાથ ધરવા ઉપસ્થિત સૌ પરિજનોને જણાવ્યું હતુ. આ કન્યા-કિશોર કૌશલ્ય જાગૃતિ આંદોલનના અરવલ્લી જીલ્લા સંયોજક વિલાસબેન પટેલના જણાવ્યાનુસાર હવે મોડાસા આસપાસના ગામો સહિત જિલ્લાભરમાં આ આંદોલન તિવ્ર ગતિએ વેગવાન બનાવવા સક્રિય પ્રયાસ કરવામાં આવશે. આ આંદોલનના તાલુકા સંયોજક કિરણબેન ભાવસારે આભાર વિધિ કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવેલ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *