Breaking NewsLatest

કાર-ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત-૪યુવાનોના મોત

ભાવનગર શહેરના નવાબંદર રોડ પર આજે વહેલી સવારે ૫.૩૦ કલાક આસપાસ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં સ્વીફ્ટ કારમાં સવાર ચાર યુવાનના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ અકસ્માત એટલો જોરદાર હતો કે સ્વીફ્ટ કારના ફુરચા ઉડી ગયા હતા અને ચારેય યુવાનોની લાશો કારમાં ફસાય ગઈ હતી જેને તંત્ર દ્વારા મહામહેનતે બહાર કાઢી પીએમ માટે મોકલી વધુ તપાસ અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગર શહેરનો નવાબંદર રોડ કે જે સતત ટ્રક અને ડમ્પરથી ધમધમતો હોય છે. નવાબંદર પોર્ટ પરથી કોલસો અને નજીક આવેલા મીઠાના અગરો માંથી મીઠું વગરે ભરીને આવતા જતા ટ્રકો અહી મોટાપ્રમાણમાં પસાર થતા હોય ત્યારે આજે વહેલી સવારે એક સ્વીફ્ટ કારમાં ચાર લોકો નવાબંદરથી ભાવનગર તરફ આવી રહ્યા હતા ત્યારે સાંઢીયા ફાટક નજીક સામેથી આવી રહેલા ડમ્પર સાથે કારની જોરદાર ટક્કર થતા કારના ફુરચા ઉડી ગયા હતા અને કારમાં સવાર ભાવનગરના ક.પરા વિસ્તારના ચાર યુવકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ બનાવની જાણ લોકોને થતા લોકોના ટોળા ત્યાં દોડી ગયા હતા તેમજ તંત્રનો સ્ટાફ અને પોલીસ કાફલો પણ ત્યાં દોડી ગયો હતો. અકસ્માત એટલો ગમખ્વાર હતો કે ચારેય યુવાનોની લાશ કારમાં ફસાય ગઈ હતી જેને તંત્રના સ્ટાફે મહામહેનતે બહાર કાઢી હતી. બનાવને પગલે મૃતકોના પરિજનો પણ ત્યાં દોડી ગયા હતા અને કલ્પાંત કરી મુક્યો હતો.જયારે પોલીસે તમામ ચારેય મૃતકો ધર્મેશ ભનાભાઈ ચૌહાણ,હરેશ જેન્તીભાઈ રાઠોડ, ધર્મેશ ભુપતભાઈ પરમાર અને રાહુલ ચંદુભાઈ રાઠોડની લાશને પીએમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી અને તપાસ હાથ ધરી હતી. જયારે આ બનાવના પગલે એફ.એસ.સેલની ટીમ પણ ત્યાં પહોચી હતી અને જે પ્રમાણે પ્રાથમિક જાણકારી મળી છે તે મુજબ કાર ચાલક ફૂલ સ્પીડમાં હોય અને કાર પરનો કાબુ ગુમાવતા કાર સૌપ્રથમ રોડની બાજુમાં પસાર થતા રેલ્વે ટ્રેક નજીકના ડિવાઈડર સાથે અથડાઈ અને ત્યારબાદ સામેથી આવી રહેલા ડમ્પર સાથે અથડાય હોવાનું અનુમાન કર્યું હતું. જો કે પોલીસે ડમ્પર ચાલકને ઝડપી લઇ તેની પુછપરછ હાથ ધરી છે જેમાં અકસ્માતની સાચી હકીકત પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. આ બનાવની એક કરુણતા એ પણ રહી કે જેમાં મૃતકો પૈકી બે સગા સાઢુ ભાઈ હોય બે બહેનોના પરિવારનો માળો એક સાથે વિખેરાય ગયો હતો જયારે ક.પરા વિસ્તારમાં આ બનાવના પગલે શોકનો માહોલ છવાય જવા પામ્યો છે.
રિપોટ બાય અલ્પેશ ડાભી બ્યુરો ચીફ ભાવનગર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *