Latest

કોલ ફેક્ટરી વિકરાળ આગની ચપેટમાં

બ્યુરો ચીફ અલ્પેશ ડાભી ભાવનગર

તગડી પાસે કોલસાની ફેક્ટરીમાં અગમ્ય કારણોસર ભીષણ આગ ભભૂકી, ભારે જહેમત બાદ કાબૂ મેળવાયો

સૂકા લાકડાની સાથે કોલસો અને વેસ્ટ હોવાથી આગ વધુ વિકરાળ બની હતી

ભાવનગર ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના તગડી ગામ નજીક આવેલી એક કોલ ફેક્ટરીમાં એકાએક આગ ફાટી નીકળતાં ભાવનગરથી ફાયરબ્રિગેડનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડ્યો હતો. જેમણે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી.

ગઈકાલે મંગળવારે મોડી સાંજે ભાવનગર શહેર સ્થિત ફાયરબ્રિગેડ કચેરીએ કોલ આવ્યો હતો કે ઘોઘા તાલુકાના તગડી ગામ નજીક આવેલી ભાવેશ ધનજી રાઠોડની માલિકીની કોલ ફેક્ટરીમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી છે. આથી ફાયરબ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આગને કાબુમાં લેવા તજવીજ હાથ ધરી હતી.

આ ફેક્ટરીમાં સૂકાં લાકડાની સાથે કોલસાનો મોટો જથ્થો મોજૂદ હોવાથી એ ઉપરાંત વેસ્ટ પ્લાસ્ટિક પણ હોવાથી ગણતરીના સમયમાં આગ વધુ ને વધુ વિકરાળ બની હતી. જેથી ફાયરબ્રિગેડના અધિકારીઓએ વધુ લાઈબંબા સાથે અગ્નિશામક દળના વધુ જવાનોને સ્થળ પર બોલાવી આગ પર કાબૂ મેળવવા કવાયત હાથ ધરી હતી.

આ આગ એટલી વિકરાળ હતી કે બે કિલોમીટર દૂરથી આગના ચમકારા સાથે ધૂમાડો નજરે પડતો હતો. જેને પગલે સ્થળ પર આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળાં એકઠાં થયાં હતાં. આ બનાવની જાણ વરતેજ પોલીસ તથા પીજીવીસીએલને થતાં એ કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો. અંતે ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *