Breaking NewsLatest

ક્યાં થયાં દુર્લભ પક્ષીના મોત

રિપોટ અલ્પેશ ડાભી બ્યુરો ચીફ ભાવનગર

મહુવા તાલુકાના ભાદ્રોડ ગામની સીમમાં 4 ગીધના મોત, વનવિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

ફોરેસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી મૃતદેહો કબ્જે લીધા

ખોરાકની ઝેરી અસરને પગલે ગીધના મોત થયાની શક્યતા

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભાદ્રોડ ગામની સીમમાં દુર્લભ તથા કેન્દ્ર સરકારે આરક્ષિત પ્રજાતિમા સમાવેશ કરેલા એવાં ચાર ગીધ પક્ષીના મૃતદેહો મળી આવ્યાં છે. જેને લઈ વનવિભાગ દોડતું થયું છે. આ ઘટનાને પગલે પક્ષી પ્રેમીઓને પણ આંચકો લાગ્યો છે. એ સાથે પર્યાવરણ-પ્રકૃતિ પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે.

ભાદ્રોડ ગામની સીમમાં આવેલા એક ખુલ્લા ખેતરમાં ગત મંગળવારે સવારે અલગ-અલગ જગ્યાએથી ચાર ગીધના મૃતદેહ મળી આવતા ઈન્ચાર્જ ડીસીએફ આરએફઓ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃત ગીધના મૃતદેહો કબ્જે કરી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. જેમાં આ પક્ષીના મૃતદેહો પર કોઈ ઈજાના નિશાન મળી આવ્યાં ન હતાં. જેથી મોતનું સાચું કારણ જાણવા ચારેય મૃતદેહોને જૂનાગઢની ફોરેન્સિક લેબમાં મોકલી આપવામાં આવ્યા હતાં. જયાથી પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યાં બાદ મોતનું ખરૂં કારણ જાણવા મળશે. આ ઘટનાને પગલે વલ્ચર પ્રેમીઓ તથા પક્ષી પ્રેમીઓમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું છે.

આ અંગે ઇન્ચાર્જ આરએફઓ કે.યુ.ખાંભલ્યાએ જણાવ્યું હતું કે, ગીધ પક્ષી ખોરાકમાં મૃત પ્રાણીઓનું મિટ (માંસ) આરોગે છે આથી જે પશુનું મોત ઝેરથી થયું હોય એવાં પશુના માંસનો ગીધ ખોરાક તરીકે ઉપયોગ કરે તો ગીધને પણ ઝેરી અસર થવા સાથોસાથ મોત થવાની પ્રબળ સંભાવના રહે છે. ભાદ્રોડ ગામની સીમમાંથી મળેલા ગીધ પણ ખોરાકની ઝેરી અસરને પગલે મોત થયાની શક્યતા છે. ગીધ પક્ષીઓ આહાર માટે લાંબા અંતરનો પ્રવાસ ખેડી તેમના મૂળ સ્થાનેથી અન્ય જગ્યાએ જતાં હોય છે આથી આ અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *