Latest

ગુજરાત રાજ્યના વન પર્યાવરણમંત્રીને વિશ્વ પર્યાવરણ દીને પર્યાવરણ જાળવણી અંગે જાગૃત નાગરિક દ્વારા લખાયો પત્ર.

5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિન. આ દિવસે સમગ્ર વિશ્વ પર્યાવરણીય સંરક્ષણને પ્રોત્સાહીત કરવા ઉજવવામાં આવે છે. કોરોનાકાળમાં ઓક્સિજનની અછતના કારણે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હજારો રૂપિયા ખર્ચવાની તૈયારી હોવા છતાં લોકોએ પોતાના સ્વજનને ઓક્સિજન ન મળવાને કારણે બચાવી શક્યા નથી. આ વાતને પર્યાવરણ પ્રેમી વૃક્ષોની કદર કરવા તેમજ આડેધડ થતું વૃક્ષછેદન અટકાવવા ઘણા લોકો સામે આવ્યા છે. ત્યારે આજરોજ સિહોરના એક જાગૃત નાગરિક દ્વારા ગુજરાત રાજ્યના વન-પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાને એક પત્ર લખી વૃક્ષો પર ખીલ્લા મારીને લગાવેલા જાહેરાતોના બોર્ડ તાત્કાલિક ધોરણે દૂર કરવા અંગે પત્ર લખી રજૂઆત કરેલ છે. નવા વૃક્ષો ઉછેરવા તે સારી બાબત છે પણ સાથોસાથ ઉછરેલા વૃક્ષોનું જતન કરવું એ પણ આપણી પ્રથમ નૈતિક ફરજ છે.


સિહોરના એક જાગૃત યુવાન જીગ્નેશ કંડોળીયા જેમણે વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષોની જાળવણી અંગે જાગૃતિ ફેલાય તે અંગે પત્ર લખેલ છે. હાઈવે રોડની બન્ને બાજુએ વૃક્ષો પર કંપનીની જાહેરાતના બોર્ડ ખીલ્લાઓ મારીને લગાવેલ છે જેને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે તેનાથી વૃક્ષો પર ગંભીર અસર પડે છે તેમજ તે દૂર કરવા અંગે એક જાહેરનામું પ્રસિદ્ધ થાય તેમજ આવી બાબતો પર લોકોમાં જાગૃતિ વધે અને પર્યાવરણ જાળવણી બાબતે ગુજરાત વિધાનસભામાં એક ઠરાવ પસાર થાય તેવી પત્રમાં રજૂઆતો કરેલ છે. કંપનીઓ પોતાની સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે પોતાની જાહેરાતો વૃક્ષો લગાવી પર્યાવરણ સાથે છેડછાડ કરી વિશ્વ ઇકો સિસ્ટમ સાથે ખુલવાડ કરે છે. જેનાથી પર્યાવરણ અને પર્યાવરણ પ્રેમી પર ખૂબ ગંભીર અસર પડે છે. વૃક્ષો પર આવી જાહેરાત ન લગાવવા તેમજ આવી કંપનીઓને એક નોટિસ પાઠવી તેમજ તાત્કાલિક ધોરણે આ બોર્ડ હટાવી દેવા સરકારશ્રી તરફથી એક આદેશ થાય તેમજ આ અંગેનું એક જાહેરનામું પ્રસિદ્ધ થાય તેવી આ જાગૃત યુવાને સરકારશ્રી સમક્ષ એક આશા વ્યક્ત કરી હતી.

અહેવાલ ધમેન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *