Breaking NewsLatest

જામનગરના ધ્રોલ ખાતે કૃષ્ણનગર સોસાયટીના પેવીંગ બ્લોક રોડનું ખાતમુહૂર્ત કરતા કૃષિમંત્રી

જામનગર: રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઇ પટેલ દ્વારા ધ્રોલ ખાતે સ્વર્ણિમજ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ૨૦૨૦-૨૦૨૧ની ગ્રાન્ટમાંથી રૂ.૧૭.૭૭ લાખના ખર્ચે તૈયાર થનાર કૃષ્ણનગર સોસાયટી મેઇન રોડ ૫, ૬ અને ૭ના પેવીંગ બ્લોક રોડ તથા રૂ.૨૨.૫૦ લાખના ખર્ચે તૈયાર થનાર કૃષ્ણનગર સોસાયટી મેઇન રોડ ૮, ૯, ૧૦ અને ૧૧ના પેવીંગ બ્લોક રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ.

આ પ્રસંગે મંત્રીશ્રી એ જણાવ્યું હતું કે,ધ્રોલ શહેરમાં રૂ.૨.૩૮ કરોડના ખર્ચે જ્યાં જ્યાં પાકા રસ્તા નથી તેવી તમામ સોસાયટીમાં પેવીંગ બ્લોક રોડના કામો મંજૂર થયા છે ત્યારે પેવીંગ બ્લોકના કામો, લાઇટના પ્રશ્નો, પીવાના પાણીના પ્રશ્નો અને આંતરિક સફાઇના પ્રશ્નો વગેરે કામો માટે રાજય સરકાર શકય તમામ પ્રયાસો કરી રહી છે. સરકાર દરેક સીટી સ્માર્ટ સીટી બને તે માટે ગામોમાં જરૂરિયાત મુજબના કામોને મંજુરી આપે છે.આ મંજૂર થયેલા કામો માટે જેટલી રકમ મળે તેનો ઉપયોગ કરી કામો સારી રીતે અને સમયસર પૂરા કરવામાં આવે તેવી અપીલ કરી હતી.આ તકે મંત્રીશ્રીએ ધ્રોલ નગરપાલીકાના કાર્યકરો અને નગરજનોને સૂચન આપતા કહ્યું હતું કે, આપણે જ્યારે કોરોનામાંથી મુકત થઇ રહ્યા છીએ ત્યારે શહેરમાં સાફ સફાઇ જળવાય રહે, વધુમાં વધુ વૃક્ષો વવાય તેવા કામો હાથ ધરવા જોઇએ.

આ પ્રસંગે શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી લખધિરસિંહ જાડેજા, ધ્રોલ શહેર ભાજપ પ્રમુખ શ્રી સમીરભાઇ શુકલ, ધ્રોલ શહેર ભાજપ મહામંત્રી શ્રી હિરેનભાઇ કોટેચા, તાલુકા ભાજપ પ્રમુખ નવલભાઇ મુંગરા, પૂર્વ ચેરમેન શ્રી રસિકભાઇ ભંડેરી, ધ્રોલ નગરપાલિકા પ્રમુખ શ્રી જયશ્રીબેન, પૂર્વ પ્રમુખ શ્રી મગનભાઇ, કોર્પોરેટર શ્રી તુષારભાઇ સહિતના આગેવનો તથા સોસાયટીના રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *