જામનગર: જામનગરના ધ્રોલ ખાતે તાલુકામાં 2019-20 ખરીફ ઋતુનો પાક વીમો ચૂકવવા અને ચાલુ ખરીફ ઋતુમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના નો અમલ કરવા બાબતે ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ગત વર્ષ દરમ્યાન તાલુકામાં વાવણી પહેલા પછીના જોખમ પેટે ખેડૂતોને મોટું નુકસાન થવા પામ્યું હતું. જેનો રાજ્ય સરકારના અધિકારીઓ દ્વારા સર્વે પણ કરવામાં આવ્યો હતો જેમાં જિલ્લા કક્ષાએ મળતી DLMC સમિતિમાં પણ સ્વીકારાયું હતું કે ખેડૂતોને નુકશાન થયેલ છે અને 25% વીમો મળવાપાત્ર છે જે વીમો મંજુર થયા બાદ પણ ધ્રોલ તાલુકાના ખેડૂતોને પાક વીમો ન આપવામાં આવતા ખેડૂતોમાં સરકાર પ્રત્યે રોષ જોવા મળ્યો હતો અને આ યીજનમાં સરકાર પર રોષ ઠાલવતા અને વિવિધ આક્ષેપો સાથે ધ્રોલ મામલતદાર કચેરી ખાતે ધરણા યોજી તેને તાત્કાલિક ચુકવવામાં આવે તે માંગ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં તો દ્વારા સરકારની કિસાન વીમા યોજના તદ્દન નિષફળ સાબિત થઈ હોય અને સરકારે ખેડૂતોને માવઠાથી થયેલ નુક્શાનનું વળતર ન આપવાના આક્ષેપ સાથે સરકારના વિરોધમાં સુત્રોચાર કર્યા હતા. ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયા, ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના ઉપ્રમુખ ગિરધરભાઈ વાઘેલા, કરણદેવસિંહ જાડેજા, જામનગર જિલ્લા કોંગ્રેસ કાર્યકરી પ્રમુખની આગેવાનીમાં મોટી સંખ્યામાં ખેડૂત ઉપસ્થિત રહી ઇન્ચાર્જ મામલતદારને આ તમામ બાબતોને ધ્યાનમાં લઈ ખેડૂતોનું વળતર તેમના ખાતામાં જમા થઈ જાય ઉપરાંત ધ્રોલ તાલુકા સિવાય અન્ય જે 16 તાલુકા છે તેમાં કિસાન યોજનાનો અમલ કરવામાં આવે તેમજ દર્શાવેલ માંગણીઓને ધ્યાનમાં લેતાની તમામ માહિતી મુખ્યમંત્રીશ્રી સુધી પહોંચાડવા માટેનું આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. ઉપરાંત આવનાર સમયમાં જો માંગણી પર ધ્યાન નહીં આપવામાં આવે તો જેમ ધ્રોલ ખાતે જનઆંદોલન કરવામાં આવ્યું છે તેમ આવનાર 20 તારીખે ભરૂચના નેતરાંગમાં, 23 મીએ પોરબંદરના રાણાવાવમાં અને 24મીએ દ્વારકાના કલ્યાણપુરમાં પણ જન આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામા આવી હતી. તો આ બાબતે આવેદન પત્ર સ્વીકારતા ઇન્ચાર્જ અધિકારી દ્વારા આ બાબતે તમામ માહિતી મુખ્યમંત્રી શ્રીને મોકલી ધ્યાન દોરવામાં આવશે તેની ખાતરી આપી હતી.
જામનગરના ધ્રોલ તાલુકામાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો અમલ કરવા બાબતે ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર આપાયું
Related Posts
સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં શ્રી સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ
જામનગર, સંજીવ રાજપૂત: જામનગરની સુપ્રસિદ્ધ અને નવ દાયકા જૂની શ્રી સજુબા ગર્લ્સ…
જામનગરમાં પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનિયસ ક્લબના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરક્ષણ તાલીમનું આયોજન કરાયું
જામનગર, સંજીવ રાજપૂત: પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગરમાં…
જૂનાગઢ જિલ્લામાં 0 થી 18 વર્ષના 220618 બાળકોની આરોગ્ય તપાસણીનો આરંભ
જૂનાગઢ, સંજીવ રાજપૂત: રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અન્વયે જૂનાગઢ જિલ્લામાં…
હારીજ APMC ખાતે અલગ અલગ પ્રકારના ૧૦૧ વૃક્ષો વાવી વૃક્ષોનું જતન કરવા સંકલ્પ લેવાયો..
પાટણ, એબીએનએસ, એ.આર: પાટણ જીલ્લાના હારીજ ખાતે હારીજ APMC ખાતે વૃક્ષારોપણ કરવામાં…
Kiran Panjwani: The Woman Empowering India’s Modeling Aspirants through Glam & Elegance
In a world where glamour is often misunderstood as superficial, Kiran Panjwani…
મહોરમ પર્વ નિમિત્તે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઇ
જામનગર, સંજીવ રાજપૂત: આગામી દિવસોમાં આવનારા તાજીયાના જુલુસ અનુસંધાન જામનગર…
આર્મી રિક્રુટમેન્ટ દ્વારા NCC કેડેટ્સને ભારતીય સેનામાં જોડાવા માટે વાર્તાલાપનું કરાયું આયોજન
અમદાવાદ, સંજીવ રાજપૂત: 28 જૂન 2025 ના રોજ આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ અને અમદાવાદ…
ભાવનગરની કમળેજ પ્રાથમિક શાળા ખાતે જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ યોજાયો.
સમગ્ર ગુજરાતમાં પ્રારંભ થયેલ શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે ભાવનગરની કમળેજ…
ભાવનગરની ૪૦મી રથયાત્રા નિર્વિઘ્ન પૂર્ણ કરવા પોલીસ તંત્રનો ચાંપતો બંદોબસ્ત.સમગ્ર રૂટ પર આશરે પાંચ હજારથી પણ વધુ પોલીકર્મીઓ ફરજ પર તૈનાત
દેશની ત્રીજા નંબરની અને અમદાવાદ પછી રાજ્યની બીજા નંબરની ભાવનગર જિલ્લાની ભગવાન…
ભગવાન જગન્નાથજીની ૪૦મી રથયાત્રામાં દુર્ગાવાહિની બહેનો દ્વારા અખાડાના કૌશલ્ય દાવો રજૂ કરાયા.તલવાર બાજી, ચક્ર ફેરવવું, પટ્ટાબાજી, લાઠી ફેરવવી સહિતની કલા આકર્ષણનું કેન્દ્ર બન્યું
ભાવનગરમાં યોજાઇ રહેલ ભગવાન જગન્નાથજી ની ૪૦મી રથયાત્રામાં દુર્ગાવાહિનીની બહેનો…