જામનગર: જામનગરના ધ્રોલ ખાતે તાલુકામાં 2019-20 ખરીફ ઋતુનો પાક વીમો ચૂકવવા અને ચાલુ ખરીફ ઋતુમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના નો અમલ કરવા બાબતે ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ગત વર્ષ દરમ્યાન તાલુકામાં વાવણી પહેલા પછીના જોખમ પેટે ખેડૂતોને મોટું નુકસાન થવા પામ્યું હતું. જેનો રાજ્ય સરકારના અધિકારીઓ દ્વારા સર્વે પણ કરવામાં આવ્યો હતો જેમાં જિલ્લા કક્ષાએ મળતી DLMC સમિતિમાં પણ સ્વીકારાયું હતું કે ખેડૂતોને નુકશાન થયેલ છે અને 25% વીમો મળવાપાત્ર છે જે વીમો મંજુર થયા બાદ પણ ધ્રોલ તાલુકાના ખેડૂતોને પાક વીમો ન આપવામાં આવતા ખેડૂતોમાં સરકાર પ્રત્યે રોષ જોવા મળ્યો હતો અને આ યીજનમાં સરકાર પર રોષ ઠાલવતા અને વિવિધ આક્ષેપો સાથે ધ્રોલ મામલતદાર કચેરી ખાતે ધરણા યોજી તેને તાત્કાલિક ચુકવવામાં આવે તે માંગ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં તો દ્વારા સરકારની કિસાન વીમા યોજના તદ્દન નિષફળ સાબિત થઈ હોય અને સરકારે ખેડૂતોને માવઠાથી થયેલ નુક્શાનનું વળતર ન આપવાના આક્ષેપ સાથે સરકારના વિરોધમાં સુત્રોચાર કર્યા હતા. ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયા, ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના ઉપ્રમુખ ગિરધરભાઈ વાઘેલા, કરણદેવસિંહ જાડેજા, જામનગર જિલ્લા કોંગ્રેસ કાર્યકરી પ્રમુખની આગેવાનીમાં મોટી સંખ્યામાં ખેડૂત ઉપસ્થિત રહી ઇન્ચાર્જ મામલતદારને આ તમામ બાબતોને ધ્યાનમાં લઈ ખેડૂતોનું વળતર તેમના ખાતામાં જમા થઈ જાય ઉપરાંત ધ્રોલ તાલુકા સિવાય અન્ય જે 16 તાલુકા છે તેમાં કિસાન યોજનાનો અમલ કરવામાં આવે તેમજ દર્શાવેલ માંગણીઓને ધ્યાનમાં લેતાની તમામ માહિતી મુખ્યમંત્રીશ્રી સુધી પહોંચાડવા માટેનું આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. ઉપરાંત આવનાર સમયમાં જો માંગણી પર ધ્યાન નહીં આપવામાં આવે તો જેમ ધ્રોલ ખાતે જનઆંદોલન કરવામાં આવ્યું છે તેમ આવનાર 20 તારીખે ભરૂચના નેતરાંગમાં, 23 મીએ પોરબંદરના રાણાવાવમાં અને 24મીએ દ્વારકાના કલ્યાણપુરમાં પણ જન આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામા આવી હતી. તો આ બાબતે આવેદન પત્ર સ્વીકારતા ઇન્ચાર્જ અધિકારી દ્વારા આ બાબતે તમામ માહિતી મુખ્યમંત્રી શ્રીને મોકલી ધ્યાન દોરવામાં આવશે તેની ખાતરી આપી હતી.
જામનગરના ધ્રોલ તાલુકામાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો અમલ કરવા બાબતે ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર આપાયું
Related Posts
અંબાજી મંદિર સંચાલિત કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે આજ રોજ તા. ૦૪/૦૮/૨૦૨૫ ને શ્રાવણ માસના પાવન દિન સોમવારે રાજસ્થાનના જોધપુર નિવાસી દિનેશપુરી ગૌસ્વામી તરફથી ૧૮ કિલો વજનનું શુદ્ધ ચાંદીનું ૨૧,૦૦૦,૦૦ (રૂપિયા એકવીસ લાખની કિમતનું) થાળુ દાન ભેટમાં અર્પણ કરવામાં આવ્યું. દાતાશ્રી દ્વારા કોટેશ્વર ગૌશાળા ખાતે રૂ.૧,૦૧,૦૦૧( રૂ એક લાખ એક હજાર એક) નું દાન પણ આપવામાં આવ્યું.
કોટેશ્વર મહાદેવ મંદિર પ્રકૃતિના સૌન્દર્યમાં સરસ્વતી નદીના કિનારે આવેલ પાવન સ્થળ…
લાખો રૂપિયા ના ખર્ચ કુંભારીયા નો નવીન બનેલો રોડ બેસી ગયો, ભ્રષ્ટ કોન્ટ્રાકટર ને બ્લેકલીસ્ટ કરવાની જરૂર?
હાલમા ગુજરાતમા વિકાસ જોરદાર ચાલી રહ્યો છે અને આખા ગુજરાતના ખૂણેખૂણે સુધી વિકાસના…
ગૌ પ્રેમીઓ અને ગ્રામજનોનો ગ્રામ પંચાયતના આદેશ પર ફૂટ્યો ગુસ્સો, ગ્રામ પંચાયત ગાયો માટે ઉચિત નિર્ણય નહી લે તો સમગ્ર અંબાજી બંધ રહેશે અને ઉગ્ર આંદોલન પણ થશે
શક્તિપીઠ અંબાજી ખાતે બે દિવસ થી ગાયો માટે ચાલી રહેલો મામલો હજી થાળે પડતો નજરે…
અંબાજી – “તલાવડી” ની જગ્યા પર વર્ષો પહેલા ઊભા કરાયેલ દબાણો દૂર કરવા માં નિષ્ફળ નીવડતી અંબાજી ગ્રામ પંચાયત……!!!
વર્ષ ૨૦૦૫ માં સોમાભાઈ ખોખરીયા ના સરપંચ પદ વખતે દબાણો દૂર કરવા નો ઠરાવ પસાર થવા…
સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના પુનર્વસન મહાનિર્દેશાલય દ્વારા રોજગાર મેળો યોજાયો
અમદાવાદ, સંજીવ રાજપૂત: સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના…
ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ આર.ટી.ઓ. સર્કલથી જવેલ્સ સર્કલ તરફ જતા રસ્તાના કામની મુલાકાત લીધી
ભાવનગર ખાતે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગ…
શિહોરની સર્વોત્તમ ડેરી ખાતે સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને “સહકારથી સમૃદ્ધિ” અંગે સમીક્ષા બેઠક યોજાઇ
ભાવનગર જિલ્લામાં આવેલ સિહોરની સર્વોત્તમ ડેરી ખાતે સહકાર રાજ્ય મંત્રીશ્રી જગદીશ…
ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના અઘ્યક્ષસ્થાને જિલ્લાના બ્રિજની ચકાસણી તથા રસ્તાઓના દુરસ્તી કામ અંગેની સમીક્ષા બેઠક યોજાઈ
ભાવનગર ખાતે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગ…
નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા શહેરી વિસ્તારમાં 108 વૃક્ષારોપણ કરાયું
જામનગર, સંજીવ રાજપૂત: જામનગર નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્રારા ગોલ્ડન સિટી…
દાંતા તાલુકાના યુવા નેતા વનરાજ સિંહ બારડની ગૃહમંત્રીએ પ્રસંશા કરી
17 જુલાઈના રોજ બનાસકાંઠાના મહેમાન બનેલા ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી…