Breaking NewsLatest

જામનગર ખાતે ભગવાન પરશુરામની શોભાયાત્રા પ્રસંગે વેશભૂષામાં ભાગ લેનાર બાળકોને સન્માનિત કરતા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ

જામનગર: સૌરાષ્ટ્ર – કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા બ્રહ્મ સમાજના ઇષ્ટદેવ ભગવાન પરશુરામ ના જન્મોત્સવ અક્ષય તૃતીયાના પ્રતિવર્ષ વિશાળ શોભાયાત્રા યોજવામાં આવે છે, આ શોભાયાત્રામાં ધાર્મિક દેવી દેવતાઓની વેશભૂષા માં સજ્જ બાળકોને મહિલા કોર્પોરેટર ડીમ્પલબેન રાવલ દ્વારા સન્માનીત કરવામાં આવ્યા હતા,

શોભાયાત્રા માં વેશભૂષામાં ભાગ લેનાર 130 બાળકોને મહિલા કોર્પોરેટર ડીમ્પલબેન રાવલ અને તેમના સી.વી.ઠાકર બુક સેલર્સ પરિવાર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવતા ભાગ લેનાર બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.

પ્રતિવર્ષ સૌરાષ્ટ્ર – કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ જામનગર ટિમ દ્વારા યોજવામાં આવતી ભવ્ય શોભાયાત્રામાં છેલ્લા બાર વર્ષથી ડીમ્પલબેન રાવલ દ્વારા યાત્રામાં ભાગ લેનાર બાળકોને તેમના તરફથી પ્રોત્સાહિત કરવામાં આવે છે, જે હેઠળ આ વર્ષે પણ શોભાયાત્રા માં ભાગ લેનાર એકસોત્રીસ થી વધુ બાળ કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા,

ભગવાન પરશુરામ જન્મોત્સવની શોભાયાત્રા મ્યુ. ટાઉનહોલ ખાતે સંપન્ન થઈ ત્યારે વેશભૂષા માં ભાગ લેનાર તમામ બાળ કલાકારોને દાતા ડીમ્પલબેન રાવલ, જગતભાઇ રાવલ, સરિતાબેન પ્રદીપભાઈ ઠાકર, પ્રતીક ઠાકર તેમજ પૂર્વમંત્રી પ્રો. વસુબેન ત્રિવેદી, ટ્રસ્ટીશ્રી નરેન્દ્રભાઈ ત્રિવેદી, જિલ્લા અધ્યક્ષ પ્રફુલ્લભાઈ વાસુ, શહેર પ્રમુખ આશીષભાઇ જોશી, કોર્પોરેટર સુભાષભાઇ જોશી, તૃપ્તિબેન ખેતીયા, બ્રહ્મ અગ્રણી દક્ષભાઈ ત્રિવેદી, કન્વીનર હિરેનભાઈ કનૈયા, સહ-કન્વીનર રૂપેશભાઈ કેવલિયા, કિશોરભાઇ ભટ્ટ, જિલ્લા મહામંત્રી એન. ડી. ત્રિવેદી, કો-ટ્રસ્ટી સુનિલભાઈ ખેતીયા, કારોબારી સભ્ય વલ્લભભાઈ જોશી, નયનભાઈ વ્યાસ અને યુવા વિભાગ જિલ્લા પ્રમુખ ભાસ્કરભાઈ જોશી, મંત્રી જનકભાઈ ખેતીયા, શહેર પ્રમુખ જસ્મિનભાઈ ધોળકિયા મંત્રી વિમલભાઈ જોશી તેમજ મહિલા પાંખના હોદેદારો વિગેરે હસ્તે સન્માનીત કરવામાં આવ્યા હતા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા ખેડૂતોને સસ્તી અને સરળ લોન અંગેનો વેબીનાર યોજાયો.

ભાવનગરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા અને લીડ બેન્ક દ્વારા ખેડૂતોને…

કુલ રૂ.૫૪,૦૦૦/-ના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને પકડી પાડી ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

1 of 697

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *