Breaking NewsLatest

જામનગર દુષ્કર્મની પીડિતાના પરિવારના સભ્યોની મહિલા આયોગ અને જામનગર કોંગ્રેસ મહિલા નેતાઓ દ્વારા મુલાકાત કરાઈ.

જામનગર: ગુજરાત રાજ્યના જામનગરમાં સગીરા પર 4 નરાધમો દ્વારા દુષ્કર્મના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે અને પોલીસ દ્વારા પણ ઝડપી કાર્ય કરતા આ ચારેય આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે ત્યારે પીડિતાના પરિવારની મહિલા આયોગની ટીમના 4 સભ્યો દારા મુલાકાત લેવામાં આવી હતી અને આ કાંડની હકીકત વિશે જાણકારી મેળવવામાં આવી હતી જે પોલીસ અને પૂર્ણ માહિતી એકત્ર કરી તેનો રિપોર્ટ મહિલા આયોગને સોંપશે. આ ઉપરાંત તેં જ ક્ષણોમાં જામનગર કોંગ્રેસ મહિલા નેતાઓ ઝેનબબેન ખફી અને નયનાબા જાડેજા તેમજ મહિલા કાર્યક્રરો દ્વારા પણ પીડિતા પરિવારની મુલાકાત લેવામાં આવી હતી અને તેમના પાસેથી હકીકત અને જાણકારી મેળવી હતી ઉપરાંત આ પરિવારને યોગ્ય ન્યાય મળી રહે તે માટે સરકારને તાત્કાલિક આ બાબતે ધ્યાન આપવા નિવેદન કરવામાં આવ્યું હતું તેમજ આક્રોશ સાથે આ આરોપીઓને કડકમાં કડક સજા થાય તટસ્થ ન્યાયિક તપાસ અને ફાસ્ટ ટ્રેકમાં કેસનો ઉકેલ આપી ફાંસીની સજા થાય તેવી માંગ કરી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *