Breaking NewsLatest

જામનગર ભાજપ દ્વારા ટાઉનહોલ ખાતે યોજાયો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જીવનકાળનો ચિતાર રજૂ કરતો નમોત્સવ કાર્યક્રમ. સાંસદ અને જાણીતા લેખક અને વક્તાએ આપ્યું વ્યક્તવ્ય.

જામનગર: 17 સપ્ટેમ્બર એ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની આખા દેશભરમાં ઉજવણી કરવામાં આવી ત્યારે ભારતીય જનતા પાર્ટીએ તેમના જન્મદિવસ નિમ્મીતે આગળના 7 દિવસ સુધી દેશભરમાં તેમના જીવનને લાગતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સૌરાષ્ટ્રના જામનગર ખાતે તેના અનુસંધાને જામનગર ભાજપ દ્વારા ટાઉનહોલ ખાતે નમોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાણીતા લેખક અને પ્રખર વક્તા ડૉ શરદ ઠાકર ખાસ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન કાળ દરમ્યાન તેમની સાથેના તેમના અનુભવો અને સ્મરણોને વ્યક્ત કરતા તેમના જીવન અંગેનો ચિતાર રજૂ કર્યો હતો તો બીજી તરફ જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ દ્વારા પણ નરેન્દ્રભાઈ મોદીની કાર્યશેલી તેમના દૂરનું અને લાંબુ વિચારવાની શક્તિ અને તેમના સાથેના જીવનના અનુભવોને ઉપસ્થિત લોકો સમક્ષ રજુ કર્યા હતા. ડોક્ટર શરદ ઠાકર દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવનકાળના ખાસ પ્રસંગોને તેમની કાર્ય પદ્ધતિ તેમજ તેમના સ્વભાવ વિશેના પળોને વ્યક્ત કરી દેશ ખરેખર હવે સાચા વ્યક્તિના હાથમાં સુરક્ષિત છે તેવું જણાવ્યું હતું તો પૂર્વ મંત્રીઓ આર સી ફળદુ અને ધર્મેન્દ્રસિંહ જાડેજા કારણોવશ ઉપસ્થિત ન રહી શકતા આ કાર્યક્રમ બદલ ટેલીફોનિક શુભેચ્છાઓ પાઠવી હતી.

આ કાર્યક્રમ દરમ્યાન ભાજપ શહેર પ્રમુખ ડૉ વિમલ કગથરા, શહેરના મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન મનીષ કટારીયા, સંગઠન મંત્રિયો, શહેર વોર્ડ કોર્પોરેટરો, મીડિયા ઇન્ચાર્જ ભાર્ગવ ઠાકર સહિત પદાધિકારીઓ, મીડિયા મિત્રો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *