Breaking NewsLatest

જિલ્લા કક્ષાના ૭૩મા પ્રજાસતાક પર્વની ભાવનગર ખાતે હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ

વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાએ ત્રિરંગાને સલામી આપી
૦૦૦૦૦૦
ટ્રાફિક પોલીસ, અશ્વ દળ, મહિલા પોલીસ, જિલ્લા પોલીસ, તેમજ હોમગાર્ડના જવાનો દ્વારા જાનદાર પરેડ
૦૦૦૦૦૦


ભાવનગર ખાતે જિલ્લા કક્ષાના ૭૩મા પ્રજાસત્તાક દિનની પોલીસ પરેડ ગ્રાઉન્ડ, ભાવનગર ખાતે હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાએ ત્રિરંગાને આન, બાન અને શાન સાથે સલામી આપી પ્રજાસત્તાક પર્વની ઉજવણીની શરૂઆત કરાવી હતી.

આ પ્રસંગે મંત્રીશ્રીએ પોલીસ બેન્ડની સુરાવલીઓ વચ્ચે રાષ્ટ્રગીતના સમૂહગાન વચ્ચે ત્રિરંગો લહેરાવ્યો હતો. તેમણે પોલીસ પરેડનું પણ નિરીક્ષણ કર્યું હતું. દેશના મહાપુરૂષો એવાં મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને દેશના બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરને યાદ કરી તેમના પ્રત્યેનો કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કર્યો હતો.

ભાવનગરના પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીને યાદ કરી તેમની દેશભક્તિને વંદન કરી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, દેશની આઝાદી માટે જેમણે પોતાનું પોતાનું સર્વસ્વ ન્યોછાવર કર્યું હતું એવાં દેશભક્તોને આજ વંદન કરવાનો અવસર છે.

આવાં દેશભક્તોના બલિદાન થકી જ આજે આપણે આઝાદીની મુક્ત હવામાં શ્વાસ લઈ રહ્યાં છીએ. દેશની આઝાદી થી લઈ દેશમાં સુરાજ્ય સ્થપાય તે માટે કરેલાં તેમના કાર્યો ચિરકાળ સુધી સદાય જનમાનસમાં જીવંત રહેશે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોનાને નિયંત્રણમાં રાખવાં માટે કરેલાં પ્રયત્નોની સરાહના કરી તેમણે કોરોના કાળમાં વિવિધ વિભાગોના કોરોના વોરિયર એવાં કર્મયોગીઓનું શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન કર્યું હતું.

મંત્રીશ્રીએ ઉત્તરાયણના પર્વ દરમિયાન આરંભાયેલાં કરૂણા અભિયાન દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર સંસ્થાઓ અને તેના કર્મીઓ અને ખેલકૂદ ક્ષેત્રે જિલ્લાનું નામ રોશન કરનાર પ્રતિભાવંત ખેલાડીઓનું ખાસ સન્માન કર્યું હતું.

મંત્રીશ્રીએ જિલ્લાના વિકાસ માટે રૂા. ૨૫ લાખનો ચેક જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેને અર્પણ કર્યો હતો. આ ઉપરાંત મંત્રીશ્રી અને મહાનુભાવોએ કાર્યક્રમના સ્થળે વૃક્ષારોપણ પણ કર્યુ હતું.

મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં પૂર્વ મંત્રી અને ધારાસભ્ય સુશ્રી વિભાવરીબેન દવે અને સિનિયર સિટીઝન અને કોરોના વોરિયર્સ લોકોનને પ્રિકોશન ડોઝથી સંરક્ષિત કરવામાં આવ્યાં હતાં.

ટ્રાફિક પોલીસ, અશ્વ દળ, મહિલા પોલીસ, જિલ્લા પોલીસ, તેમજ હોમગાર્ડના જવાનો દ્વારા જાનદાર પરેડ કરવામાં આવી હતી આ પરેડનું નેતૃત્વ પરેડ કમાન્ડન્ટશ્રી જીતેન્દ્ર અગ્રવાલે કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી મિતુલભાઈ રાવલે કર્યુ હતું.

આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી અને ધારાસભ્ય સુશ્રી વિભાવરીબેન દવે, જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડો. પ્રશાંત જિલોવા, પ્રાદેશિક મ્યુનિસિપાલિટી કમિશનરશ્રી અજય દહિંયા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌર, મદદનીશ પોલીસ કમિશનરશ્રી સફિન હસન, નિવાસી અધિક કલેકટર શ્રી બી.જે. પટેલ, મદદનીશ કલેક્ટર શ્રીમતી પુષ્પલત્તા, પ્રોબેશનર આઇ.એ.એસ.શ્રી જયંત માનકલે, જિલ્લા પુરવઠા અધિકારી શ્રીમતી ભૂમિકા વાટલિયા, આમંત્રિત મહેમાનો, પદાધિકારીઓ-અધિકારીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 724

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *