Breaking NewsLatest

તા.૨૪ સપ્ટેમ્બરના રોજ અંબાજી મંદિરની પ્રક્ષાલનવિધિ યોજાશેઃ માતાજીની આરતી અને દર્શનના સમયમાં ફેરફાર

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની યાદી જણાવ્યું છે કે, મંદિરની પ્રણાલિકા મુજબ તા.૨૪ સપ્ટેમ્બર-૨૦૨૧ ભાદરવા વદ-૪ (ચોથ)ને શુક્રવારના રોજ માતાજીના નિજમંદિરમાં પ્રક્ષાલનવિધિ બપોરે ૦૧:૩૦ કલાકે શરૂ થશે. જેથી દિવસ પુરતો માતાજીની આરતી તથા દર્શનનો સમય આ મુજબનો રહેશે. જેમાં દર્શન સવારે-૭:૩૦ થી ૧૧:૩૦, દર્શન બપોરે ૧૨:૩૦ થી ૦૧:૦૦ તેમજ માતાજીની સાંજની આરતીનો સમય આશરે રાત્રે ૦૯:૦૦ કલાકે રહેશે. તા.૨૫/૦૯/૨૦૨૧થી આરતી તેમજ દર્શનનો સમય રાબેતા મુજબ રહેશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા લેવા વિનંતી છે. તેમ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની અખબારી યાદીમાં જણાવ્યું છે.

પ્રહલાદ પૂજારી અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રયાગરાજ મહાકુંભમાં “જ્યુટ બેગ”નું વિતરણ કરી પર્યાવરણ બચાવોનો સંદેશ આપતા જામનગરના નિધિબેન દવે

જામનગર, સંજીવ રાજપૂત: ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે તા.૧૩ જાન્યુઆરીથી શરુ થયેલા…

1 of 693

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *