Latest

ધનસુરાના શિક્ષકે કિંમતમાં સસ્તી, ટકાઉ અને મુવેબલ દેશી સગડી બનાવી

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

અરવલ્લી જિલ્લાના ધનસુરા ની પ્રાથમિક શાળા નંબર – ૧ ના શિક્ષક કલ્પેશભાઇ પ્રજાપતિ એ એક અનોખી દેશી સગડી બનાવી છે,, ગામડાઓમાં રસોઈ માટે ચૂલાનો ઉપયોગ વધુ થતો હોય છે ત્યારે તેમાંથી નીકળતો ધુમાડો મહિલાઓના સ્વાસ્થ્યને નુકસાન કરતો હોય છે ત્યારે તેના વિકલ્પ રૂપે શિક્ષક કલ્પેશભાઈ પ્રજાપતિ એ આ દેસી સગડી બનાવી છે,,આ સગડી, ધુમાડા રહિત છે ધુમાડાના સીધા નિકાલ માટે ચીમની મુકવામાં આવી છે,,જેના દ્વારા ધુમાડો ચીમની મારફતે ઉપરથી નીકળી જાય છે,,ગ્રામ્ય વિસ્તારોમાં રસોઈ બનાવવા માટે મહિલાઓ સૌથી વધારે ચૂલાનો ઉપયોગ કરતી હકી છે તેવા સમયમાં ધુમાડા ના સંપર્ક માં ન આવે અને તેમનું સ્વાસ્થ્ય આરોગ્યપ્રદ રહે તે માટે આ સગડી બનાવી છે..
આ દેશી સગડી તેમને રેતી, સિમેન્ટ, ઈંટ અને લોખંડ જેવી ઘરગથ્થુઓ નો ઉપયોગ કરી ને બનાવી છે,,જે કિંમતમાં સસ્તી, ટકાઉ અને મુવેબલ છે,,આ સગડી ને એક જગ્યાએ થી બીજી જગ્યાએ સરળતા થી ખસેડી શકાય છે,, મોટે ભાગે જે ચૂલા નો ઉપીયોગ કરવામાં આવતો હોય છે તે એક જગ્યા સ્થાઈ હોય છે,,જ્યારે આ સઘડીમાં નીચે ટાયર બનાવવામાં આવ્યા છે જેથી સગડી ને એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતા થી લઈ જઈ શકાય છે. આ ઉપરાંત એક સાથે બે વસ્તુઓ રાંધી શકાય તેવી પણ સગવડ કરવામાં આવી છે અને બહારની દીવાલ ગરમ ન થાય અને લાકડાનું સંપૂર્ણ દહન થાય તે માટે વેન્ટીલેશન બનાવી દેશી સગડી નું નિર્માણ કરવામાં આવ્યું છે.આજ સમયમાં મોંઘવારી એ માજા મૂકી છે ત્યારે વધતી મોંઘવારી વચ્ચે આર્થિક રીતે પરવડે અને મહિલાઓ ના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી બનાવવામાં આવેલી દેશી સગડી લોકો માટે ચોક્કસ થી આશીર્વાદરૂપ સાબિત થશે..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *