Breaking NewsLatest

ધનસુરા ઓધવ વિદ્યામંદિર ખાતે માતૃ પિતૃ પુજન દિવસ ઉજવાયો

કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ભારત દેશ આદિકાળથી સંતોની પાવન ભુમિ માં સનાતન ધર્મ ને અનુસરી રહ્યો છે ગુરુઓ અને સંતો દ્વારા મળેલ વારસાગત સંસ્કારો નું સિંચન આપણા સમાજમાં ધાર્મિક ગુરુજીઓ દ્વારા અને શાળાઓમાં શિક્ષકો દ્વારા પીરસાઈ રહ્યું છે એવામાં ધનસુરા ઓધવ વિદ્યામંદિર ખાતે માતૃ પિતૃ પુજન દિવસ ઉજવાયો હતો. બાળકો માં બાલ્યાવસ્થા થી જ ઉત્તમ સંસ્કારો નું સિંચન થાય તે માટે માતૃ પિતૃ પુજન દિન ની ઉજવણી કરવામાં આવી હતી. બાળકો એ માતા પિતા નું પુજન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.ભારતીય સંસ્કૃતિ ને ઉજાગર કરવા હેતુ માતૃ-પિતૃ પૂજન દિવસ નું આયોજન કર્યું હતું જેમાં સમાજના ઉપપ્રમુખશ્રી ઈશ્વરભાઈ પટેલ, સમાજના મંત્રી શ્રી ભરતભાઇ પટેલ સમાજના દાતા શ્રી ડાહ્યાભાઈ પટેલ અને ઓ.વી.એમ. ના સેક્રેટરીશ્રી નરેન્દ્રભાઇ પટેલ તેમજ ભૂદેવોની હાજરીમાં ખૂબ મોટી સંખ્યામાં વાલીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.શિક્ષણ સમિતિના સભ્યો અને સમાજના હોદ્દેદારો તેમજ આમંત્રિત મહેમાનશ્રીઓ એ શાળાના આચાર્યશ્રી જીજ્ઞેશભાઈ પટેલ અને શાળા પરિવારને આ કાર્યક્રમનું સફળ સંચાલન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

દ્વારકા પદયાત્રીઓના સેવાર્થે જામનગરમાં યોજાયેલા કેમ્પોની મુલાકાત લેતા કેબિનેટમંત્રી મુળુભાઈ બેરા

જામનગર સંજીવ રાજપૂત, દેવભૂમિ દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં સહભાગી થવા માટે હજારોની…

દેવભૂમિ દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં પગપાળા જઈ રહેલા યાત્રીઓ માટે જામનગર આરોગ્ય વિભાગની ઉમદા કામગીરી

જામનગર સંજીવ રાજપૂત: દેવભૂમિ દ્વારકા ખાતે હોળી-ધુળેટીના પર્વ નિમિતે ફૂલડોલ…

નવસારી જિલ્લાના વિવિધ કલાકારોએ રજૂ કરેલા સાંસ્કૃતિક કાર્યક્રમોએ ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’નો રંગ જમાવ્યો

નવસારી,સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત રાજ્યના આદિવાસીઓ હોળી સહિતના તહેવારો, અને…

1 of 698

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *