Breaking NewsLatest

ધનસુરા ઓધવ વિદ્યામંદિર ખાતે માતૃ પિતૃ પુજન દિવસ ઉજવાયો

કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ભારત દેશ આદિકાળથી સંતોની પાવન ભુમિ માં સનાતન ધર્મ ને અનુસરી રહ્યો છે ગુરુઓ અને સંતો દ્વારા મળેલ વારસાગત સંસ્કારો નું સિંચન આપણા સમાજમાં ધાર્મિક ગુરુજીઓ દ્વારા અને શાળાઓમાં શિક્ષકો દ્વારા પીરસાઈ રહ્યું છે એવામાં ધનસુરા ઓધવ વિદ્યામંદિર ખાતે માતૃ પિતૃ પુજન દિવસ ઉજવાયો હતો. બાળકો માં બાલ્યાવસ્થા થી જ ઉત્તમ સંસ્કારો નું સિંચન થાય તે માટે માતૃ પિતૃ પુજન દિન ની ઉજવણી કરવામાં આવી હતી. બાળકો એ માતા પિતા નું પુજન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.ભારતીય સંસ્કૃતિ ને ઉજાગર કરવા હેતુ માતૃ-પિતૃ પૂજન દિવસ નું આયોજન કર્યું હતું જેમાં સમાજના ઉપપ્રમુખશ્રી ઈશ્વરભાઈ પટેલ, સમાજના મંત્રી શ્રી ભરતભાઇ પટેલ સમાજના દાતા શ્રી ડાહ્યાભાઈ પટેલ અને ઓ.વી.એમ. ના સેક્રેટરીશ્રી નરેન્દ્રભાઇ પટેલ તેમજ ભૂદેવોની હાજરીમાં ખૂબ મોટી સંખ્યામાં વાલીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.શિક્ષણ સમિતિના સભ્યો અને સમાજના હોદ્દેદારો તેમજ આમંત્રિત મહેમાનશ્રીઓ એ શાળાના આચાર્યશ્રી જીજ્ઞેશભાઈ પટેલ અને શાળા પરિવારને આ કાર્યક્રમનું સફળ સંચાલન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *