Breaking NewsLatest

ધોળા થી ભાવનગર લોકલ ટ્રેઈન શરૂ કરવાની માંગ કરતા ઉમરાળા તાલુકા કોંગ્રેસ અગ્રણીઓ

ઉમરાળા તાલુકામાં રોજગારી મળે તેવી કોઈ વ્યવસ્થાના હોવાથી રોજગારી માટે તાલુકા ભરના અનેક લોકો ભાવનગર અપડાઉન કરે છે સવાર અને સાંજની લોકલ ટ્રેઈનનો ઉપયોગ કરતા હોય છે પરંતુ લોકડાઉન અને કોરોના કાળને કારણે લોકલ ટ્રેન બંધ કરી દેવામાં આવી હતી જે તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવે કારણ કે આજે લગભગ ધોળા તેમજ આજુબાજુના ગામોના મળીને 300 જેટલા યુવાનો રોજગારી ધંધા માટે ભાવનગરથી ઉપડાઉન કરે છે જે તમામને પ્રાઇવેટ વાહનનો સહારો લેવો પડે છે ઉપરથી એસટી બસ પણ સમયસર મળતી નથી અને ભાવનગર જાવા આવવામાં 100 રૂપિયા પ્રતિ દિવસનો ખર્ચો લાગે છે એક બાજુ રોજગારીની સમસ્યા અને મોંઘો વાહન ભાડાનો ખર્ચો પોસાય તેમ નથી આપ સરકારના પ્રતિનિધિઓ અંગત રસ લઇ પ્રજા હિતમાં તાત્કાલિક અસર થી ધોળા લોકલ ટ્રેઈન તેના નિર્ધારિત સમય પર સવાર સાંજના સમયમાં શરૂ કરવામાં આવે તેવી ઉમરાળા તાલુકા કોંગ્રેસ પ્રમુખ
હરિશ્ચંદ્રસિંહ ગોહિલ અને કોંગ્રેસ મહામંત્રી કલ્પેશ ઘોરી દ્વારા માંગ કરવામાં આવી

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રયાગરાજ મહાકુંભમાં “જ્યુટ બેગ”નું વિતરણ કરી પર્યાવરણ બચાવોનો સંદેશ આપતા જામનગરના નિધિબેન દવે

જામનગર, સંજીવ રાજપૂત: ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે તા.૧૩ જાન્યુઆરીથી શરુ થયેલા…

1 of 693

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *