Breaking NewsLatest

નડિયાદની વિધિ જાદવે વણઝારિયાના શહીદ વીર હરિશસિંહના પરિવારજનોની મુલાકાત લઈ સાંત્વના પાઠવી

અમદાવાદ: નડિયાદની વિધિ જાદવના નસીબમાં દેશની સેવા કરતા અને દેશના સીમાડા સાચવતા શૂરવીર સૈનિકો અને તેમના પરિવારો માટે સ્નેહ ભાવ અને સેવા લખી છે.

સ્વભાવની સાવ સીધી અને માયાળુ આ વિધિએ અત્યાર સુધીમાં સેંકડો સૈનિક પરિવારો ની મુલાકાત લીધી છે. ખાસ કરીને દેશની સેવા કરતા કોઇ શહીદ થઈ જાય એ ઘટના વિધિના ધ્યાનમાં આવે કે તુરત જ તે આ દેશની સુરક્ષા માટે પોતાનો આધાર ગુમાવી બેઠેલા પરિવારને મળવા અને મદદરૂપ બનવાનું આયોજન કરે છે. એનો પોતાનો પરિવાર કંઈ માલેતુજાર નથી. દેશના શહિદ સૈનિક પરિવારોને આર્થિક મદદ કરતી વિધિ જાદવે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના વણઝારીયા ગામના ૨૫ વર્ષીય વીર શહિદ જવાન હરીશસિહ પરમારના પરિવારની મુલાકાત લઈ તેઓને સાંત્વના પાઠવી રૂા. ૧૧૦૦૦/- નો ચેક અર્પણ કર્યો હતો.

વિધિએ પાંચ દિવસ પહેલા ખેડા જિલ્લાના નાગરિકોને યથાશક્તિ મુજબ આ શહિદ પરિવારને આર્થિક મદદ કરવા વિનંતી કરી હતી જેમાં કુલ રૂ. ૪૫૦૦૦/- ની રકમ જુદી જુદી વ્યક્તિઓ તરફથી મળી હતી તે રકમ પણ વિધિએ યાદી સાથે આ પરિવારને આપી હતી. આમ, કુલ રૂ.૫૬,૦૦૦/- ની આર્થિક મદદ આ શહિદ પરિવારને કરવામાં આવી છે.

વિધિએ જમ્મુ કાશ્મીરના પુંચ જિલ્લામાં તા. ૧૧.૧૦.૨૦૨૧ ના રોજ આતંકવાદીઓ સામે લડતા શહિદ થયેલા દેશના કુલ ૫ સૈનિકોના પરિવારને પણ રૂ. પાંચ, પાંચ હજાર તા.૨૧.૧૦. ૨૦૨૧ ના રોજ મોકલી આપી શહિદ સૈનિક પરિવારો પ્રત્યે પોતાની સંવેદના પ્રગટ કરી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી મંદિરમાં આવેલુ રેલ્વે ટીકીટ સેન્ટર,ઓળખાણ વાળાના કામ જ થાય છે, બીજાં લોકોને ધક્કા ખાવા પડે છે

શક્તિપીઠ અંબાજી માં લોકો દૂરદૂરથી માતાજીના દર્શન કરવા આવે છે. અંબાજી ખાતે આવતા…

G.S.T ના છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં નાસતા ફરતા ઈસમને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

1 of 695

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *