Latest

નિ:શુલ્ક શરબત વિતરણ અને સત્સંગ સમારોહ

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

માનવ ઉત્થાન સેવા સમિતિ, માનવ ધર્મ આશ્રમ હિંમતનગર શાખા દ્વારા મ. અદ્વૈતાનંદજી ના માર્ગદર્શન હેઠળ તારીખ ૨૦ મે ના રોજ ઉનાળાની ગરમી માં રાહત આપવા માટે શહેર ના મુખ્ય બસ સ્ટેશન પાસે નિ:શુલ્ક શરબત વિતરણ નું મ. અદ્વેતાનંદજી મ. બંદગીબાઇજી તેમજ સેજલબાઇજી ની હાજરીમાં ડેપો મેનેજર સોનલબેન બારોટ ના સહયોગથી તેમજ આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર અજીતસિંહ જી. નિમાવત, અનિલભાઈ મેહતા, એડવોકેટ જે.ડી.ઝાલા અને શાંતિભાઈ પટેલ ની હાજરી માં યોજવામાં આવેલ હતો.

આ શરબત વિતરણ નો બસ સ્ટેશન આવતા-જતા મુસાફરો એ તેમજ અન્ય રાહદારીઓ એ લાભ લીધો. આ કાર્ય માં માનવ ધર્મ આશ્રમ શાખા ના હિંમતનગર અને સવાપુર ના કાર્યકર્તાઓ ખૂબ જહેમત ઉઠાવી.

આ ઉપરાંત તારીખ ૨૧ મે ના રોજ રાત્રે કાકણોલ મુકામે શ્રી નવદુર્ગા મંદિર ચોક માં યોજવામાં આવેલ મહાન સત્સંગ સમારોહ માં સદગુરુદેવ શ્રી સતપાલજી મહારાજ ના સંતો મ. અદ્વૈતાનંદજી, મ. બંદગી બાઈજી, મ. સુનંદા બાઈજી, મ. પ્રેરણા બાઈજી, તેમજ મ. સેજલ બાઈજી દ્વારા સત્સંગ માં આત્મજ્ઞાન ને જાણી ને માનવજીવન ના ઉદ્દેશ્ય ને સાર્થક કરવા પર ભાર મૂકવામાં આવ્યો.
આ સત્સંગ ભજન કાર્યક્રમ નો મોટી સંખ્યામાં લોકો એ લાભ લીધો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *