Breaking NewsLatest

પત્રકાર એકતા સંગઠન ભાવનગર જિલ્લા કાર્યકારી પ્રમુખ તરીકે લોકનેતા મિલન કુવાડિયાની નિયુક્તિ

સક્રિય રાજકારણ છોડ્યા બાદ પછી પણ લોકસેવા થકી લોકનેતાનું સ્થાન લોકોના દિલોમાં અંકિત કરનારા કુવાડિયાને પત્રકાર સંગઠને જિલ્લાની જવાબદારી સોંપી : કુવાડિયા ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ખૂબ જાણકાર છે : નિયુક્તિ બાદ શુભેચ્છાઓનો ધોધ

સિહોર શંખનાદ સંસ્થાના વડા અને લોકનેતા મિલન કુવાડિયાને પત્રકાર એકતા સંગઠને જિલ્લાની જવાબદારી સોંપી છે કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્તિ થતા શુભેચ્છાઓનો ધોધ વહ્યો છે સિહોર કે ભાવનગર જ નહીં ગુજરાતના રાજકારણમાં મિલન કુવાડિયાનું નામ આપવાની કે એમના વિશે કેવાનું બહુ જરૂર રહેતી નથી જાહેર જીવન રાજકારણ છોડી દીધા બાદ પણ લોકસેવાને પ્રજ્વલિત રાખનારા મિલન કુવાડિયા હજારો નહિ લાખ્ખો લોકોના દિલોમાં રાજ કરે છે કોરોના સમયમાં રાત દિવસ લોકોની મદદ કરનારા મિલન કુવાડિયા પ્રજાના માણસ છે લોકોની હરહમેંશ માટે તત્પર હોઈ છે મિલન કુવાડિયા શિશુકાળથી જાહેર જીવન સાથે જોડાયેલા વ્યક્તિ છે ગુજરાત અને દેશના ટોચના નેતાઓ સાથે તેઓને વ્યક્તિગત ઘરોબો રહ્યો છે જોકે તેઓએ છેલ્લા ઘણા સમયથી જાહેર જીવનને અલવિદા કહ્યા પછી પણ તેમણે લોકોની સેવાનું કામ અવિરત શરૂ રાખ્યું છે કોરોના સમયમાં તેમણે રાત દિવસ કાઉન્સિલર ડોકટર બનીને લોકોને હૂંફ અને હિંમતના ઈન્જેક્શનો આપીને જરૂરિયાત લોકોને અવિરત મદદ કરી છે મિલન કુવાડિયા ઇન્ફોર્મેશન ટેકનોલોજીના પણ ખૂબ જાણકાર છે તેમણે એ શેત્રમાં વર્ષો સુધી કાર્ય કર્યું છે ત્યારે ભાવનગર જિલ્લા પત્રકાર એકતા સંગઠનને વધુ સક્રિય બનાવવા જિલ્લાના કાર્યકારી અધ્યક્ષ તરીકે મિલન કુવાડિયાની નિયુક્તિ થતા શુભેચ્છાઓનો ધોધ વહ્યો છે આ વરણીને ગુજરાત પત્રકાર એકતા સંગઠને આવકારી અભિનંદન પાઠવ્યા છે રાજકારણથી દુર
રહ્યા બાદ પણ લોકસેવા થકી લોકનેતાનું બિરુદ પ્રાપ્ત કરનારા મિલન કુવાડિયાના શિરે વધુ એક જવાબદારી સોંપાઈ છે ત્યારે આવતા દિવસોમા પદગ્રહણ કરીને પોતાને સોંપવામાં આવેલ જવાબદારી નિભાવશે

સ્પેશિયલ રિપોર્ટ સલીમ બરફવાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *