Latest

પાક નાં રક્ષણ માટે રાજ્ય સરકાર ની તાર ફેન્સિંગ યોજના હેઠળ મંજુર થયેલ અરજીઓ ની સમય મર્યાદા વધારવી જરૂરી

રાજ્ય સરકાર ખેડૂતોના પ્રશ્નો બાબતે હરહંમેશ સંવેદનશીલતા સાથે સકારાત્મક અભિગમ સાથે પ્રશ્નો ઉકેલતી રહી છે, સરકારનાં સકારાત્મક અભિગમ થી ખેડૂતો ખુશ પણ છે.
રાજ્ય સરકાર દ્વારા પાક ના રક્ષણ માટે જનાવરો થી રક્ષણ મેળવવા માટે ખેડૂતો/ખેડૂત જૂથ ને કાંટાળા તાર ની વાડ કરવા સબસીડી યોજના અંતર્ગત મદદ કરી રહી છે, આ યોજનાનો લાભ લેવા માટે અનેક ખેડૂતો એ અરજી કરી હતી અને તમામ અરજીઓ રાજ્ય સરકારે મંજુર કરેલ છે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો એ ૯૦ દિવસ માં બિલ રજૂ કરવાની શરતી મંજૂરી આપેલ છે. પણ સમસ્યા એ છે કે ૯૦ દિવસનાં સમયગાળા માં તમામ ખેડૂતોને જરૂરી માલ સમાન જેવા કે સિમેન્ટ કે લોખંડનાં થાંભલા અને તાર ની બજાર માં અછત અને તાર ની વાડ બાંધવા માટે મજૂરો સરળતા થી મળતા નથી એટલે ખેડૂતો ૯૦ દિવસ માં આ કાર્ય કરી શકે તેવી સ્થિતિ નથી એટલે સમય મર્યાદામાં જી.એસ.ટી. વાળા બિલ પણ રજૂ થઈ શકે તેમ નથી, તેથી આ યોજનાનો લાભ લઇ શકે તેમ નથી, અને જો આ સમય મર્યાદા માં કામ ન થાય અને બિલ રજૂ ન કરી શકવાને કારણે અરજી રદ્દ થાય તેમ છે, અરજી રદ્દ થતા આવતા વર્ષે નવેસરથી પ્રોસેસ કરવી પડે તેમ છે સાથે નવી અરજી મંજુર થાય કે નહીં તેની રાહ જોવી પડે તેમ છે,આવી પરિસ્થિતિમાં ખેડૂતો માં નારાજગી નું વાતાવરણ બની શકે છે.
જો ખેડૂતો પોતાને ખર્ચે ખેડૂતો કાંટાળી તાર ની વાડ કરે તો ખૂબ જ મોંઘું પડે તેમ છે. હવે ચોમાસા ને ગણતરીનાં દિવસો જ બાકી રહ્યા છે. ચોમાસુ ચાલુ થતા વરસાદને લીધે ખેડૂતોને પોતાનાં ખેતર સુધી જવામાં પણ મુશ્કેલી પડતી હોય છે, તો આવી સ્થિતિ માં તાર ફેન્સિંગ કરવા માટે જરૂરી સામાન વાહન દ્વારા ખેતર સુધી પહોંચાડવો વધુ મુશ્કેલ બને અને મજૂરો દ્વારા તાર ફેન્સિંગ નું કામ કરાવવું પણ અત્યંત મુશ્કેલ બને તેમ છે. આવી વિકટ પરિસ્થિતિ માં જો તાર ફેન્સિંગ કરેલ કામનાં જી.એસ.ટી. વાળા બિલ રજૂ કરવાની મર્યાદા ૯૦ ને બદલે ૧૮૦ દિવસ કરવામાં આવે તો રાજ્ય સરકાર ની તાર ફેન્સિંગ યોજના હેઠળ મંજુર થયેલ અરજી દ્વારા તમામ ખેડૂતો લાભ સરળતા થી લઈ શકે તેમ છે, સાથે નીલગાય તેમજ રેઢિયાર ઢોર ના ત્રાસ થી મુક્તિ મળે તેમ હોવાથી તાર ફેન્સિંગ યોજના હેઠળ કામગીરી ની સમય મર્યાદા ૯૦ ને બદલે ૧૮૦ દિવસ નો સમય ગાળો લંબાવવા ભાજપાનાં સક્રિય કાર્યકર ભાવેશભાઈ નરશીભાઈ ગાબાણી (પાટણા) એ રાજ્યના સરકાર નાં કૃષિમંત્રીશ્રી અને ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ, ભાવનગર સમક્ષ માંગ કરી છે.

અહેવાલ ધમેન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *