Latest

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ પોરબંદર શહેરમાં સ્થાનિક વ્યાપારીઓને સ્વદેશીના ઉપયોગ માટે પ્રોત્સાહન આપ્યુ

કેન્દ્રીય મંત્રીશ્રીએ દેશી ઢોલ અને શરણાઈના સૂરે સ્વદેશીના ઉપયોગ અને જીએસટી રિફોર્મ ૨૦૨૫ અંગે પોરબંદરના વ્યાપારીઓમાં જાગૃતિ ફેલાવી

પોરબંદર. તા.૨૬:કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ પોરબંદર શહેરના સુતારવાડા વિસ્તારમાં મુલાકાત લઈ સ્થાનિક વ્યવસાયો અને વેપારીઓ સાથે સીધી મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે વ્યાપારીઓને સ્વદેશી ઉત્પાદનોનું પ્રોત્સાહન આપવા અને ગ્રાહકોને સ્થાનિક અને આત્મનિર્ભર ઉત્પાદનો તરફ દોરી જાય તેવી કામગીરી કરવા દેશી ઢોલ અને શરણાઈના સૂરે અપીલ કરી હતી.

કેન્દ્રીય મંત્રીશ્રીએ આ કાર્યક્રમને વધુ સક્રિય બનાવવા માટે પોતાના હસ્તે “ગર્વ સે સ્વદેશી” અને જીએસટી રિફોર્મ ૨૦૨૫ સંબંધિત પોસ્ટર લગાવી, જે દ્વારા સ્થાનિકોને સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગ અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યોગદાન આપવા માટે જાગૃત કર્યા હતા.

આ જાગૃતતા કાર્યક્રમમાં  પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરીયા,પોરબંદરના ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ચેતનાબેન તિવારી, પોરબંદર શહેર ભાજપ પ્રમુખ શ્રી સાગરભાઇ મોદી, અગ્રણી સર્વ શ્રી અશોકભાઈ મોઢા અને સ્થાનિકો વેપારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

શ્રી ગોપીનાથજી સોલાર (Sol Max Solution) દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન: પર્યાવરણ અને સ્વચ્છ ઊર્જાનો અનોખો સમન્વય

​આજના આધુનિક યુગમાં જ્યાં ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ મોટી સમસ્યાઓ બની રહ્યા છે,…

વરસાદની વિકટ પરિસ્થિતિમાં પીજીવીસીએલની ત્વરિત કામગીરીથી જાળીલા ગામમાં વીજપુરવઠો પુનઃસ્થાપિત કરાયો

જૂના મકાનની બાલ્કનીથી LT પોલને નુકસાન થતાં ખોરવાયેલો વીજ પુરવઠો ગણતરીના કલાકોમાં…

હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ

મુંબઇ, સંજીવ રાજપૂત, એબીએનએસ: એર મેશલ પીવી શિવાનંદ, એઓસી-ઇન-સી અને સાઉથ વેસ્ટર્ન…

1 of 139

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *