Breaking NewsLatest

પ્રાંતિજ તાલુકાના મૌછા ગામે આંગણવાડી ના મકાનનું ખાતમુહૂર્ત કરતા મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમાર..

ભાજપ સરકાર નાના નાના ગામડાઓ કે આમજનતા ના વિકાસમાં સહેજ પણ કચાશ નહીં રાખે મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમાર
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મૌછા ગામે આજે આંગણવાડી ના નવીન મકાન બનાવવા માટે નું ખાત મુહૂર્ત પ્રાંતિજ તલોદ તાલુકાના ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય ના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા વિધિવત્ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આપ્રસંગે ભાજપના લલિતભાઈ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ બળવંતભાઈ પટેલ અર્જુન સિંહ મકવાણા,નરસિંહભાઇ પટેલ, તાલુકા પંચાયત ના પ્રમુખ વર્ષાબા.. ભાજપ ના હોદ્દેદારો મૌછા ગામના મહિલા સરપંચ શ્રીમતી કિર્તિબેન પરમાર પંચાયતના સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે ગજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે કેન્દ્ર માં નરેન્દ્રભાઈ મોદીની સરકાર અને ગુજરાત રાજ્ય માં ભૂપેન્દ્રભાઇ પટેલ ની સરકારમાં નાનામાં નાના ગામડાઓ નાનાનાના માણસો ખેડૂતો ના અવિરતપણે વિકાસની ચિંતા કરી કાર્યો કરે છે.શિક્ષણ આરોગ્ય સફાઈ જેવા કાર્યો માટે સરકાર ઉદાર મને નાણાંની ફાળવણી કરી રહી છે.મૌછા ગામે તળાવ ભરવા તેમજ ગટરના કામો માટે આને પીવાના બોરની સુવિધા માટે મંત્રીશ્રી એ તાબડતોબ કામોના મંજૂરી ની ખાત્રી આપી હતી અને આ ગામના બાકી રહેલા કામો માટે માર્ચ પછી પંચાયતની ભરલામણ આને માંગણી થી બાકી રહેલા કામો પૂર્ણ કરી આપવાની ખાતરી આપી હતી.આયુષ્યમાન કાર્ડ તેમજ રેશનીંગના નાના નાના પ્રશ્નો હોય તો પણ મને જણાવશો તો યોગ્ય ઝડપી કાર્યવાહી કરી પૂર્ણ કરવાની ખાત્રી આપી હતી. આ પ્રસંગે સરપંચશ્રી દ્વારા મૌછા ગામના નોકરીઓમાં સિલેક્ટ થયેલ ઉમેદવારો ને પ્રોત્સાહિત કરવા સન્માન અને ઈનામ આપવાની જાહેરાત કરી હતી.આ પ્રસંગે સી.ડીએચ‌ઓ. તેમજ ગામના આગેવાનો દિલિપસિંહ રમણલાલ સહિતના આગેવાનો દ્વારા મંત્રી શ્રી નું આને હોદ્દેદારો નું ભવ્ય સ્વાગત કર્યું હતું. કાર્યક્રમ બાદ મૌછા ગામે હોલમાં પેજ પ્રમુખોની બેઠક બોલાવવામાં આવી હતી આ બેઠકમાં મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમાર તેમજ બળવંતભાઈ પટેલ લલીતભાઈ પટેલ એ.કે મકવાણાએ વિવિધ માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *