Latest

પ્રાયોજના સંસ્થા દ્વારા સહયોગ પેટ્રોલ પંપ ઉપર લીમડાના મોર અને પાનના રસ ની સેવાનો ખૂબ લોકોએ લાભ લીધો.

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ચૈત્ર માસ એટલે આપણા ભારતીયોનુ અને સાથે સાથે પ્રકૃતિનું પણ નવું વર્ષ. લીમડાનો મોર અને પાન આયુર્વેદમાં સર્વ શ્રેષ્ઠ ઔષધ ગણાય છે. લીમડાનો મોર વર્ષની શરૂઆતમાં પીવાથી આખુ વર્ષ નીરોગી રહેવાય છે. પ્રાયોજના સંસ્થા ના મુખીયા અને સહયોગ પેટ્રોલ પંપ ના માલિક અને અરવલ્લી સામાજિક સમરસતા સમિતિના સંયોજકશ્રી ચંદ્રકાન્ત પટેલ દ્વારા લીમડાના મોર અને પાનના રસનું વિના મુલ્યે વિતરણ કરવામાં આવ્યું. જેમાં અંદાજીત ૨૦૦૦ લોકોએ લાભ લીધો. ચંદ્રકાન્ત પટેલનો સંપર્ક કરતા એમને જણાવ્યું કે અત્યારે કોરોના કાળ ચાલી રહ્યો છે ત્યારે કોરોનાની લહેર ગમે ત્યારે ઓચિંતી ટપકી પડે છે. કોરોના ને મ્હાત આપવા માટે લોકોએ રોગપ્રતિકારક શક્તિ વધારવી જોઇએ. જેના અનુસંધાને લીમડાના મોર અને પાન નો રસ શ્રેષ્ઠ હોવાથી સમગ્ર લોકોને એનો લાભ મળે એ હેતુથી આ આયોજન કર્યું છે . આ આયોજનમાં સહયોગ પેટ્રોલ પંપના સ્ટાફ સુરેશ રાઠોડ, વિજય કોટવાલ અને કૃણાલ સુથાર ની પણ મદદ મળી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા’ની થીમ સાથે યોજાઈ ભવ્ય ‘તિરંગા પદયાત્રા’

દોઢ કિલોમીટરની તિરંગા યાત્રામાં દેશભક્તિ સાથે જોવા મળી ‘ઓપરેશન સિંદૂર’ની શક્તિ…

તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિના રંગે રંગાયું અને રાષ્ટ્ર ભક્તિનાના જયઘોષથી ગુંજયું પાટણ શહેર

પાટણ, સંજીવ રાજપૂત: : જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા, જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા…

1 of 613

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *