Latest

પ્રાયોજના સંસ્થા દ્વારા સહયોગ પેટ્રોલ પંપ ઉપર લીમડાના મોર અને પાનના રસ ની સેવાનો ખૂબ લોકોએ લાભ લીધો.

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ચૈત્ર માસ એટલે આપણા ભારતીયોનુ અને સાથે સાથે પ્રકૃતિનું પણ નવું વર્ષ. લીમડાનો મોર અને પાન આયુર્વેદમાં સર્વ શ્રેષ્ઠ ઔષધ ગણાય છે. લીમડાનો મોર વર્ષની શરૂઆતમાં પીવાથી આખુ વર્ષ નીરોગી રહેવાય છે. પ્રાયોજના સંસ્થા ના મુખીયા અને સહયોગ પેટ્રોલ પંપ ના માલિક અને અરવલ્લી સામાજિક સમરસતા સમિતિના સંયોજકશ્રી ચંદ્રકાન્ત પટેલ દ્વારા લીમડાના મોર અને પાનના રસનું વિના મુલ્યે વિતરણ કરવામાં આવ્યું. જેમાં અંદાજીત ૨૦૦૦ લોકોએ લાભ લીધો. ચંદ્રકાન્ત પટેલનો સંપર્ક કરતા એમને જણાવ્યું કે અત્યારે કોરોના કાળ ચાલી રહ્યો છે ત્યારે કોરોનાની લહેર ગમે ત્યારે ઓચિંતી ટપકી પડે છે. કોરોના ને મ્હાત આપવા માટે લોકોએ રોગપ્રતિકારક શક્તિ વધારવી જોઇએ. જેના અનુસંધાને લીમડાના મોર અને પાન નો રસ શ્રેષ્ઠ હોવાથી સમગ્ર લોકોને એનો લાભ મળે એ હેતુથી આ આયોજન કર્યું છે . આ આયોજનમાં સહયોગ પેટ્રોલ પંપના સ્ટાફ સુરેશ રાઠોડ, વિજય કોટવાલ અને કૃણાલ સુથાર ની પણ મદદ મળી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *