Latest

પ્રાયોજના સંસ્થા દ્વારા સહયોગ પેટ્રોલ પંપ ઉપર લીમડાના મોર અને પાનના રસ ની સેવાનો ખૂબ લોકોએ લાભ લીધો.

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ચૈત્ર માસ એટલે આપણા ભારતીયોનુ અને સાથે સાથે પ્રકૃતિનું પણ નવું વર્ષ. લીમડાનો મોર અને પાન આયુર્વેદમાં સર્વ શ્રેષ્ઠ ઔષધ ગણાય છે. લીમડાનો મોર વર્ષની શરૂઆતમાં પીવાથી આખુ વર્ષ નીરોગી રહેવાય છે. પ્રાયોજના સંસ્થા ના મુખીયા અને સહયોગ પેટ્રોલ પંપ ના માલિક અને અરવલ્લી સામાજિક સમરસતા સમિતિના સંયોજકશ્રી ચંદ્રકાન્ત પટેલ દ્વારા લીમડાના મોર અને પાનના રસનું વિના મુલ્યે વિતરણ કરવામાં આવ્યું. જેમાં અંદાજીત ૨૦૦૦ લોકોએ લાભ લીધો. ચંદ્રકાન્ત પટેલનો સંપર્ક કરતા એમને જણાવ્યું કે અત્યારે કોરોના કાળ ચાલી રહ્યો છે ત્યારે કોરોનાની લહેર ગમે ત્યારે ઓચિંતી ટપકી પડે છે. કોરોના ને મ્હાત આપવા માટે લોકોએ રોગપ્રતિકારક શક્તિ વધારવી જોઇએ. જેના અનુસંધાને લીમડાના મોર અને પાન નો રસ શ્રેષ્ઠ હોવાથી સમગ્ર લોકોને એનો લાભ મળે એ હેતુથી આ આયોજન કર્યું છે . આ આયોજનમાં સહયોગ પેટ્રોલ પંપના સ્ટાફ સુરેશ રાઠોડ, વિજય કોટવાલ અને કૃણાલ સુથાર ની પણ મદદ મળી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

આયોજન મંડળની બેઠકમાં કચ્છ જિલ્લાના રૂ.૧૩૪૫ લાખના ૫૩૯ વિકાસ કામોને બહાલી અપાઇ…

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…

પાટણ માર્કેટ યાર્ડમાં વિવિધ જણશોની બંમ્પર આવક સાથે તમાકુયાડૅમાં પણ ૪૦ હજારથી વધુ બોરીઓની આવક થઈ

પાટણ: એ.આર,એબીએનએસ : રવિવાર સહિત તહેવારોની રજા મળી ત્રણેક દિવસ બાદ મંગળવારે શરૂ…

1 of 592

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *