Breaking NewsLatest

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં દરોડાના નામે નાટક!

– દર વર્ષે દિવાળીના સમયે ઉઘરાણા કર્યા બાદ ડિસેમ્બર અને જાન્યુઆરી માસમાં ખાલી બતાવવા પૂરતા દરોડા
– મરચુ અને હળદરમાં મોટાપાયે ભેળસેળ થતી હોવાનું જગ જાહેર હોવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ખાદ્ય પદાર્થ સહિતની ચીજવસ્તુઓમાં મોટાપાયે ભેળસેળ થતી હોવાનું જગજાહેર છે અને તેમાંય સાબરકાંઠા જિલ્લો ભેળસેળ માટેનું મુખ્ય એપી સેન્ટર હોવા છતાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ભેળસેળને ડામવા માટે કોઇ જ અસરકારક કામગીરી કરવામાં આવતી નથી. દર વર્ષે દિવાળીના સમયે ઉઘરાણા કર્યા બાદ ડિસેમ્બર અને જાન્યુઆરી માસમાં ખાલી બતાવવા પૂરતા દરોડા પાડી નાટક કરવામાં આવે છે. જેના ભાગરૂપે તંત્ર દ્વારા સાબરકાંઠામાં 44 દરોડા પાડી 44 નમુના તેમજ અરવલ્લી જિલ્લામાં 27 દરોડા પાડી 27 નમુના લઇ વાહ વાહ મેળવવાના થયેલા પ્રયાસની નિંદા થઇ રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સાબરકાંઠા ખોરાક અને ઔષધ નિયમન કચેરીમાં ચાલતા ભ્રષ્ટાચારને લઇ હમેંશા ચર્ચામાં રહે છે. કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા રોકડી કરવા સિવાયની કોઇ કામગીરી કરવામાં આવતી નથી. નિયમિતપણે હપ્તાઓની માયાજાળથી જિલ્લામાં ખાદ્ય પદાર્થો તેમજ ખાદ્ય તેલ સહિત મરી મસાલા તેમજ મરચુ અને હળદરમાં મોટાપાયે ભેળસેળ થતી હોવાનું જગ જાહેર હોવા છતાં તંત્ર દ્વારા પોતાની કામગીરી બતાવવા માટે દિવાળીનું ઉઘરાણુ કર્યા બાદ જે વેપારીઓ દિવાળી આપતા નથી તેઓને નિશાન બનાવી દરોડા પાડી કાર્યવાહી થતી હોવાની જિલ્લામાં વ્યાપક બૂમો ઉઠવા પામી છે. દિવાળી બાદ ડિસેમ્બર અને જાન્યુઆરી માસમાં વાહ વાહી મેળવવાના આશયથી ખોરાક ઔષધ નિયમન કચેરી દ્વારા સાબરકાંઠા જિલ્લામાં 44 જેટલા સ્થળોએ દરોડા પાડી 44 નમુના લેવામાં આવ્યા છે. જયારે અરવલ્લી જિલ્લામાં 27 વેપારીઓને ત્યાં દરોડા પાડી 27 નમુના લઇ પરીક્ષણ માટે મોકલી આપ્યુ હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યુ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *