Latest

ભાજપના લોકપ્રિય રાજકારણી અતુલ શાહને હાર્દિક હુંડિયાના હસ્તે સ્ટાર અમૃત સન્માનથી સન્માનિત કરાયા

ભારતીય રાજનીતિને પોતાના જીવન સાથે જોડી રાખનાર મહારાષ્ટ્રના ભારતીય જનતા પાર્ટીના ગતિશીલ અને હંમેશા સક્રિય લોકનેતા અતુલભાઈ શાહ વિશે કહી શકાય કે તેમનું દરેક કાર્ય અતુલનીય છે. અતુલ ભાઈ શાહે કોરોના રોગચાળાને નષ્ટ કરવા ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ રસીકરણના અભિયાનને પગલે દક્ષિણ મુંબઈમાં માધવબાગ દેવસ્થાન ખાતે વાતાનુકૂલિત કેન્દ્ર શરૂ કરીને લોકોને રસીકરણની સુવિધા પૂરી પાડી હતી. તેમના પ્રયાસની નોંધ આંતરરાષ્ટ્રીય સ્તરે લેવામાં આવી છે. આ કાર્ય માટે અતુલભાઈએ દિવસ-રાત મહેનત કરીને લોકોને રસીકરણ માટે પ્રેરિત કર્યા અને આ કાર્ય આખું વર્ષ અવિરતપણે ચાલતું રાખ્યું. તેમના કાર્યને બિરદાવતા આઝાદીના ૭૫ મા અમૃત મહોત્સવ પ્રસંગે સ્ટાર રિપોર્ટના મુખ્ય સંપાદક હાર્દિક હુંડિયા દ્વારા સ્ટાર અમૃત સન્માનનું આયોજન કરવામાં આવ્યું હતું.
છે . આ પ્રસંગે દક્ષિણ મુંબઈના પ્રસિદ્ધ દેવસ્થાન માધવબાગ, રસીકરણ કેન્દ્ર, ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય ધારાસભ્ય અતુલ શાહ જીએ એક વર્ષ સુધી સંપૂર્ણ વાતાનુકૂલિત કેન્દ્ર ચલાવીને સેવા યજ્ઞ કરવા બદલ તેમને સ્ટાર રિપોર્ટ મેગેઝિન નાં પ્રધાન સંપાદક હાર્દિક હુંડીયા દ્ધારા સન્માનિત કર્યા હતા.

 

 

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

લાખો રૂપિયા ના ખર્ચ કુંભારીયા નો નવીન બનેલો રોડ બેસી ગયો, ભ્રષ્ટ કોન્ટ્રાકટર ને બ્લેકલીસ્ટ કરવાની જરૂર?

હાલમા ગુજરાતમા વિકાસ જોરદાર ચાલી રહ્યો છે અને આખા ગુજરાતના ખૂણેખૂણે સુધી વિકાસના…

અંબાજી – “તલાવડી” ની જગ્યા પર વર્ષો પહેલા ઊભા કરાયેલ દબાણો દૂર કરવા માં નિષ્ફળ નીવડતી અંબાજી ગ્રામ પંચાયત……!!!

વર્ષ ૨૦૦૫ માં સોમાભાઈ ખોખરીયા ના સરપંચ પદ વખતે દબાણો દૂર કરવા નો ઠરાવ પસાર થવા…

સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના પુનર્વસન મહાનિર્દેશાલય દ્વારા રોજગાર મેળો યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના…

1 of 610

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *