Breaking NewsLatest

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 71માં જન્મદિવસ નિમ્મીતે જામનગર ભાજપ દ્વારા તેઓના જીવનકાળનો ચિતાર આપતી પ્રદર્શની ખુલ્લી મુકવામાં આવી.

જામનગર: ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો 71 માં જન્મદિવસની ભારતભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે જામનગર જિલ્લા ભાજપ દ્વારા રણમલ તળાવની સામે નરેન્દ્રભાઈ મોદીના જીવનનો ચિતાર આપતી એક પ્રદર્શનીનું ઉદ્ઘાટન પૂર્વ કેબિનેટ મંત્રી આર સી ફળદુ અને પૂર્વ રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા ઉદ્ઘાટન કરી લોકો માટે ખુલ્લી મુકવામાં આવી હતી. આ પ્રદર્શનીમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના તેમના અત્યાર સુધીના રાજકીય તેમજ અન્ય સફરની માહિતી પોસ્ટર રૂપે પ્રદર્શિત કરવામાં આવી છે જેના ભાગરૂપે તેઓના જીવન ચારિત્ર્યની માહિતી મેળવી શકાય છે. આ ઉદ્ઘાટન પ્રસંગે ભાજપ શહેર પ્રમુખ ડૉ વિમલ કગથરા, મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષ કટારીયા, મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકર સહિત પદાધિકારીઓ, શહેરના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા અને પ્રદર્શનીને નિહાળી હતી. આ કાર્યક્રમ અંગે શહેર ભાજપ પ્રમુખ ડૉ વિમલ કગથરા દ્વારા મીડિયા મિત્રોને માહિતી આપવામાં આવી હતી.

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

આયોજન મંડળની બેઠકમાં કચ્છ જિલ્લાના રૂ.૧૩૪૫ લાખના ૫૩૯ વિકાસ કામોને બહાલી અપાઇ…

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…

1 of 708

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *