Breaking NewsLatest

ભારતીય સૈન્યના ગોલ્ડન કટાર ડિવિઝન દ્વારા મહિલા સશક્તિકરણ પહેલના ભાગરૂપે ઉદ્યમશીલતા જાગૃતિ કાર્યક્રમનું કરાયું આયોજન

અમદાવાદ: ગોલ્ડન કટાર ડિવિઝનના નેજા હેઠળ અમદાવાદની સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) વિકાસ સંસ્થા સાથે સંકલનમાં 01 જૂન 2022ના રોજ અમદાવાદ કેન્ટોન્મેન્ટ ખાતે ઉદ્યમશીલતા પર એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખાસ કરીને સૈનિકોની ધર્મપત્નીઓને MSME પરની વિવિધ સરકારી પહેલો વિશે જાણકારી આપીને તેમના સમાવેશી અને સ્થિતિસ્થાપક વિકાસ માટે અનુકૂળ સ્થિતિનું સર્જન કરવા માટે તેમને સશક્ત બનાવવા પર ધ્યાન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં કુલ 125 જવાનોની ધર્મપત્નીએ ભાગ લીધો હતો. આ એક ઇન્ટરએક્ટિવ સત્ર હોવાથી, વિવિધ ઉભરતી અને રસ ધરાવતી મહિલા ઉદ્યોગસાહસિકોને વિવિધ પ્રક્રિયાઓ અને પ્રોસેસ વિશે તેમના મનમાં સ્પષ્ટતા લાવવા માટે એક અનોખી તક પૂરી પાડવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં જાગૃતિના પ્રયાસો ઉપરાંત, અહીં ભાગ લેનારી મહિલાઓને વિવિધ સફળ મહિલા ઉદ્યોગસાહસિકોની સફળતાની સફર વિશે સમજણ આપીને તેમને ઉદ્યમ નોંધણી દ્વારા સશક્તિકરણની આ સફરમાં પહેલું ડગલું ભરવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. ગોલ્ડન કટાર પરિવાર કલ્યાણ સંગઠનના ચેરપર્સન શ્રીમતી મોનિકા વાધવાએ ખાદી અને ગ્રામોદ્યોગ કમિશનના નાયબ CEO શ્રી સંજય હેદાઉ અને MSME-DI, અમદાવાદના સંયુક્ત નિદેશક શ્રી વિકાસ ગુપ્તાના નેતૃત્વમાં ટીમ દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની ખૂબ જ પ્રશંસા કરી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *