Latest

ભારત સ્કાઉટ ગાઈડ સંઘ અને રોટરી ક્લબ દ્વારા હિંમતનગર સબજેલ માં નેત્ર ચિકિત્સા કેમ્પ યોજાયો પાંચ કેદીઓને મોતિયાના ઓપરેશન કરવા માટે જણાવવા મા આવ્યુ

જેલના જીવન બાદ સામાજિક સેવાઓમાં તમારું જીવન વિતાવો તેવી અપીલ કરવામાં આવી – ચીફ કમિશ્નરશ્રી  અતુલભાઇ દીક્ષિત

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

હિંમતનગર સબજેલ માં રોટરી ક્લબ અને ભારત સ્કાઉટ ગાઈડ ના સંયુક્ત ઉપક્રમે જેલના કેદીઓની  આંખોની તપાસ અને સારવાર નો નિઃશુલ્ક કેમ્પ કરવામાં આવ્યો. ત્રણ ગ્રુપમાં કેદીઓની આંખોની તપાસ કરી હતી. દરેક ગ્રુપ આશરે 50 થી 60 નું હતું.  170 દર્દીઓની આંખોની તપાસ કરી જેમાં ઘણા દર્દીઓ એવા હતા કે જેમને આંખોના નંબર ની ખબર આજેજ જ પડી હતી. કારણકે ગવર્મેંટ તરફથી આંખોની તપાસ માટે કોઈ વ્યવસ્થા દર્દીઓ માટે કરવામાં આવતી નથી જેથી જે કેદીઓને આંખોની તકલીફ હોય અથવા શરૂઆતના નંબર હોય તો તેઓ ખબર પડતી નહોતી, કેમ્પમાં એવા ઘણા કેદી હતા કે જેમને ફર્સ્ટ ટાઈમ નંબર ડીટેકટ થયા.
170 કેદીઓમાંથી 48 કેદીઓ એવા ડિટેક્ટ થયા કે જેમને આંખોની તકલીફ થતી, આંખોના નંબર હતા, અમુક ને આંખો પર છારી બાઝી ગઈ હતી આંખોની અંદર ઇન્ફેક્શન વાળા દર્દી પણ હતા. આ પ્રસંગે ચીફ કમિશનર અતુલભાઇ દીક્ષિતે જણાવ્યું કે અમને તમારી સારવાર અને સેવા કરવાનો ખૂબ જ આનંદ થાય છે તમે તમારું જેલનો જીવન પૂર્ણ કર્યા બાદ સામાજિક સેવા માં જોડાવા માટે હું અપીલ  કરું છું.મુખ્ય મહેમાન તરીકે પધારેલ સાબરકાંઠા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન રમીલાબેન પટેલે જણાવ્યું કે જેલમાં રહીને સુધારાત્મક કાર્યો દ્વારા દેશના સારા નાગરિક બનવા માટે જણાવ્યું હતું .હિંમતનગર રોટરી ક્લબના પ્રમુખ પ્રશાંતભાઈ વ્યાસે જેલના કેદીઓ માટે મેડીકલ કેમ્પ અને અન્ય કોઈ જરૂરિયાત હોય તો તે પૂર્ણ કરવા માટે બાહેંધરી આપી હતી. સબ જેલ અધિક્ષક શ્રી ચાવડા તથા દેસાઈ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જી. એમ. ઇ.આર. એસ ના  આંખના નેત્ર આસિસ્ટન્ટ ડોક્ટર  ડોક્ટર હરેશભાઈ પટેલે આંખોની તપાસ અને સારવાર કરી હતી .આ પ્રસંગે ગાઇડ કમિશનર ડો. ભારતીબેન ચૌધરી,  ગાઈડ કેપ્ટરન સોનલબેન ડામોર હાજર રહ્યા હતા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 606

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *