Breaking NewsLatest

ભાવનગરમાં પેટ્રોલ-ડિઝલનો પુરવઠો પૂરતાં પ્રમાણમાં છે, લોકોએ બિનજરૂરી રીતે ગભરાવાની જરૂર નથી- કલેકટરશ્રી યોગેશ નિરગુડે

પેટ્રોલ-ડિઝલના પુરવઠા બાબતે જિલ્લાના પેટ્રોલ પંપ માલિકો, ડિલરો અને તેમના એસોસિએશન સાથે ટેલિફોનિક વાતચીત કરીને સ્થિતિની સમીક્ષા કરતાં જિલ્લા કલેક્ટરશ્રી
——–
આવતીકાલે કલેક્ટરશ્રી પેટ્રોલ પંપ માલિકો, ડિલરો અને તેમના એસોસિયેશન સાથે બેઠક પણ યોજાશે
———
ભાવનગરમાં પેટ્રોલ-ડિઝલનો પુરવઠો પૂરતા પ્રમાણમાં નથી તેવાં આજ સવારથી ભાવનગર શહેરમાં ફેલાયેલા સમાચારો અને પેટ્રોલ પંપ પર બિનજરૂરી કતારો લાગવા બાબતે સ્પષ્ટતા કરતાં કલેકટરશ્રીએ જણાવ્યું છે કે, ભાવનગરમાં પેટ્રોલ-ડિઝલનો પુરવઠો પૂરતા પ્રમાણમાં છે. લોકોએ બિનજરૂરી રીતે ગભરાવવાની જરૂર નથી

આ બાબતે કલેકટરશ્રીએ જિલ્લાના પેટ્રોલ પંપ માલિકો, ડિલરો તથા તેઓના એસોસિએશન સાથે ટેલિફોનિક વાતચીત પણ કરી છે અને આવતીકાલે તેઓની સાથે બેઠક પણ યોજવાના છે.

પેટ્રોલ પંપ માલિકોએ પણ પેટ્રોલ પંપ પર પૂરતો પેટ્રોલ અને ડિઝલનો પૂરતો પુરવઠો છે તે બાબતે કલેકટરશ્રીને ટેલિફોનિક વાતચીતમાં ખાતરી આપી છે.

આ ઉપરાંત જો કોઈ જગ્યાએ પેટ્રોલ-ડિઝલનો પુરવઠો કદાચ ખૂટ્યો હશે તો આવતીકાલ સુધીમાં તેને પહોંચતો કરીને યથાવત સ્થિતિમાં લાવી દેવા માટે પુરવઠા તંત્રને કલેકટરશ્રીએ સૂચના આપી છે.

ભાવનગરમાં પેટ્રોલ-ડિઝલનો પુરવઠો ખૂટી ગયાના વહેતાં થયેલા સમાચારને કારણે લોકો દ્વારા પેટ્રોલ પંપ પર બિનજરૂરી ભીડ કરીને પેટ્રોલ, ડિઝલ લેવાં માટે લાઇનો લગાવી રહ્યાં છે તે બાબતે કલેકટરશ્રીએ જણાવ્યું છે કે, લોકોએ આવી અફવાઓથી ગેરમાર્ગે દોરાવવાની જરૂર નથી તેમજ  ગભરાવવાની જરૂર નથી. લોકો આ બાબતે આશ્વસ્થ રહે.

જિલ્લા વહીવટીતંત્ર આ બાબતે સજાગ છે અને આવી કોઈપણ બાબતથી ગેરમાર્ગે ન દોરાવા માટે પણ કલેકટરશ્રીએ જાહેર જનતાને અપીલ કરી છે.

અલ્પેશ ડાભી બ્યુરો ચીફ ભાવનગર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *